Western Times News

Gujarati News

રથયાત્રાને લઈને શહેર પોલીસે ખાસ તૈયારીઓને આખરી ઓપ આપ્યા

અમદાવાદ, ભગવાન જગન્નાથની ૧૪૫મી રથયાત્રાને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેર પોલીસે કોરોના બાદની પ્રથમ એવી શ્રદ્ધાળુઓ સાથે નિકળનાર રથયાત્રાને પગલે તૈયારીઓ આરંભી છે. મહત્વનું છે કે આ વર્ષે પોલીસે ટ્રક, હાથી અને ભજનમંડળીમાં GPS લગાવવાનું પ્લાનિંગ કરાયું છે.

આવો અમદાવાદ પોલીસના ખાસ એક્શન પ્લાન વિશે વિગતવાર જાેઇએ. રાજ્યમાં થોડા સમય પહેલા રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં બનેલી હિંસાની ઘટના બાદ અષાઢી બીજે અમદાવાદમાં નિકળનારી રથયાત્રાને લઈને શહેર પોલીસે ખાસ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે.

રથયાત્રામાં જાેડાનારા તમામ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રૂટના તમામ ટ્રક, હાથી અને ભજન મંડળીઓમાં GPS સિસ્ટમ લગાવવાનો ર્નિણય લેવાયો છે. આ સિસ્ટમથી જે તે વાહન કે વ્યક્તિનું લોકેશન મેળવવું સરળ બનશે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તો તે સમયે GPSની મદદથી જે તે વાહન અને વ્યક્તિને સરળતાથી શોધી શકાય. સાથે જ બંદોબસ્તમાં જાેડાયેલા ૩૦૦૦ સુરક્ષાકર્મીઓનો સુરક્ષાઘેરો તૂટે નહીં માટે GPS સિસ્ટમનો ઉપયોગ કરાશે.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચના ડીસીપી ચૈતન્ય માંડલીકે જણાવ્યું હતું કે પ્રથમ વખત ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં આ રીતે પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરી તમામ લોકો વચ્ચે સંકલન જળવાઈ રહે તે માટેનું પ્લાનિંગ કર્યું છે. શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તર્કશ એપ્લિકેશન થકી તમામ ડેટા એકત્રિત કરાયો છે.

જેનાથી જે તે અધિકારીઓને સ્થાનિક માહિતી મળી શકે.તો બહારથી બંદોબસ્તમાં આવનાર અધિકારીઓને પણ તમામ માહિતીઓ મળી રહે અને સાથે જ જે-તે વિસ્તારના આરોપી, શાંતિ સમિતિના સભ્યોનો ડેટા આ એપ્લિકેશનમાં ફિટ કરવામાં આવ્યો છે. તો ઇમરજન્સી વખતે સંપર્ક સાધવા બાબતની માહિતીઓ પણ તર્કશ એપ્લિકેશનથી મળી રહે તે માટે આ એપ્લિકેશનનો ઉપયોગ કરાશે.

આ તો થઈ હાલના પોલીસ પ્લાનિંગની વાત પણ બીજી તરફ હજુય કેટલીક ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું પોલીસ વિચારી રહી છે. શાંતિથી અને સુચારુ રૂપે રથયાત્રા સંપન્ન થાય તે માટે તમામ બાબતો પર ધ્યાન રાખી પોલીસ હ્યુમન વર્કથી માંડી ટેકનોલોજી સુધીનું પ્લાનિંગ કરી રહી છે.જે રથયાત્રા માટે ફળદાયી બની રહેશ.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.