Western Times News

Gujarati News

સમ્રાટ પૃથ્વીરાજની નિષ્ફળતાનું ઠીકરું મેકર્સે અક્ષયના માથે ફોડ્યું

akshay kumar responsible for samrat prithviraj movie

મુંબઈ, અક્ષય કુમાર અને માનુષિ છિલ્લર સ્ટારર ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ એક બિગ બજેટ ફિલ્મ હતી, પરંતુ બોક્સઓફિસ પર ફિલ્મનું કલેક્શન આશા કરતા ઘણું ઓછુ થયુ હતું. ફિલ્મ બોક્સઓફિસ પર ફ્લોપ સાબિત થઈ છે. દર્શકોને પણ ફિલ્મ વધારે પસંદ નહોતી આવી. આ ફિલ્મના ડિરેક્ટર ડોક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી છે. akshay kumar responsible for samrat prithviraj movie

ઉલ્લેખનીય છે કે યશરાજ ફિલ્મ્સની તાજેતરમાં રીલિઝ થયેલી બન્ને ફિલ્મો બોક્સઓફિસ પર કમાલ નથી કરી શકી. રણવીર સિંહની જયેશભાઈ જાેરદાર અને અક્ષયની સમ્રાટ પૃથ્વીરાજ બન્નેને ધારેલી સફળતા નથી મળી શકી. ઉલ્લેખનીય છે કે પૌરાણિક કવિતા ધ પૃથ્વીરાજ રાસોના પર આધારિત આ ફિલ્મ ૩૦૦ કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી. પરંતુ બોક્સ ઓફિસ પર ફિલ્મ માંડ ૮૦ કરોડ સુધી કમાણી કરી શકી છે.

એક રિપોર્ટ અનુસાર, નુકસાન ભોગવી રહેલા ફિલ્મના મેકર્સે ફિલ્મની નિષ્ફળતાનું ઠીકરું અક્ષય કુમારના માથે ફોડ્યું છે. મેકર્સનો આરોપ છે કે અક્ષય કુમારે ફિલ્મ પાછળ સમય નથી ફાળવ્યો. પ્રાપ્ત જાણકારી અનુસાર રૂઇહ્લના મેકર્સનો આરોપ છે કે અક્ષય કુમારે આ પ્રોજેક્ટ પ્રત્યે પૂરતી પ્રતિબદ્ધતા નથી દર્શાવી.

એક રિપોર્ટ અનુસાર પ્રોડ્યુસરે કહ્યું કે, તે સાંભળતો જ નથી. આ ફિલ્મ માટે એક પ્રતિબદ્ધતાની જરૂર હતી. તેણે ફિલ્મ માટે રિયલ મૂંછ પણ નથી રાખી, કારણકે તે સાથે સાથે બીજાે પ્રોજેક્ટ પણ કરી રહ્યો હતો.

જ્યારે તમે આટલો જરૂરી ઐતિહાસિક રોલ કરી રહ્યા હોવ, તમે તે સમયે માત્ર એક જ પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત ના કરી શકો? તે એક પ્રોજેક્ટમાં શ્રેષ્ઠ કરો તે જરૂરી નથી? આ સિવાય થોડા સમય પહેલા વાતચીતમાં ફિલ્મના ડિરેક્ટર ડોક્ટર દ્વિવેદીએ કહ્યું કે, અમે લોકોનો મૂડ સમજવામાં નિષ્ફળ રહ્યા.

અમે આટલા મોટા પાયે ફિલ્મ બનાવી, પરંતુ લોકો તેની સાથે કનેક્ટ ના કરી શક્યા. લેખકોએ અત્યંત ગંભીરતાથી પોતાનું કામ કર્યું. અમે ઈતિહાસ સાથે કોઈ ચેડા નથી કર્યા. અમે આ જવાબદારી અત્યંત ગંભીરતાપૂર્વક સમજી હતી. ઉલ્લેખનીય છે કે બે સતત ફ્લોપ ફિલ્મો પછી હવે યશરાજ બેનરને આશા છે કે રણબીર કપૂરની ફિલ્મ શમશેરા બોક્સ ઓફિસ પર કમાલ કરી શકે. આ ફિલ્મ ૨૨ જુલાઈના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થવાની છે.

ફિલ્મનું ટીઝર તો લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. ફિલ્મમાં રણબીર કપૂરની સાથે વાણી કપૂર અને સંજય દત્ત પણ જાેવા મળશે. રણબીરનો આ ફિલ્મમાં ડબલ રોલ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.