Western Times News

Gujarati News

સાવરકુંડલાના ધારાસભ્ય દિલ્હી ખાતે અગ્નિપથ યોજનાનો વિરોધમાં જોડાયા

દિલ્હી ખાતે સત્યાગ્રહ છાવણીમાં અગ્નિપથ યોજનાનો વિરોધ થઇ રહ્યો છે. સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપભાઇ દુધાત આ વિરોધમાં જાડાયા હતા અને અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહેલા યુવાનોને સમર્થન જાહેર કર્યું હતું.

કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં આવેલ અગ્નિપથ યોજનાના વિરોધમાં ઠેરઠેર ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ કરી રહેલા યુવાનોના સમર્થન માટે અને આ યોજનાના વિરોધ અર્થે દિલ્હી સત્યાગ્રહ છાવણી ખાતે સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતે જણાવ્યું હતું કે, નવયુવાનો માટે આ યોજના એક અન્યાયરૂપ છે. આ યોજનાને તેમણે વખોડી કાઢી હતી.

Agnipath Protest at Satyagrah Chhavni new Delhi

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.