Western Times News

Gujarati News

ઈન્ડોનેશિયામાં મૃત્યુ પછી વૃક્ષ બની જાય છે બાળક

નવી દિલ્હી, દુનિયામાં એવા લોકો છે જેઓ ઘણી પરંપરાઓ અને રિવાજાેમાં માને છે. આ પરંપરાઓને ધર્મ અથવા આસપાસની માન્યતાઓ અનુસાર ગણવામાં આવે છે. કેટલીક પરંપરાઓ વિચિત્ર હોય છે. આજે અમે તમને ઈન્ડોનેશિયાના એક એવા સમૂહ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં લોકો પોતાના મૃત બાળકોના મૃતદેહને ઝાડના થડને હોલો કરીને દફનાવે છે.In Indonesia a child becomes a tree after death

હા, મૃતદેહને ઝાડની અંદર દફનાવવાની પરંપરા છે. આ અનોખી પરંપરા ઈન્ડોનેશિયાના તાના તરોજામાં માનાવવામાં આવે છે. અહીં રહેતા અન્ય પુખ્ત વયના લોકોના અંતિમ સંસ્કાર સામાન્ય રીતે કરવામાં આવે છે, પરંતુ જ્યારે પણ કોઈ બાળકનું મૃત્યુ થાય છે, ત્યારે આ પરંપરાનું પાલન કરવામાં આવે છે.

બાળકના મૃત્યુથી લોકોમાં શોકની લહેર છવાઈ જાય છે, પરંતુ પોતાના બાળકને કુદરત સાથે જાેડવાનો ઉત્સાહ તેમને ગર્વથી ભરી દે છે. ઈન્ડોનેશિયાના આ લોકો જ્યારે તેમના બાળકોનું મૃત્યુ થાય છે ત્યારે આ પદ્ધતિ અપનાવે છે. આ માટે, ઝાડના થડને અગાઉથી અંદરથી હોલ કરવામાં આવે છે. આ પછી, જ્યારે બાળકનું મૃત્યુ થાય છે, ત્યારે તેને કપડામાં લપેટીને આ ઝાડના થડમાં નાખવામાં આવે છે.

જેના કારણે મૃત શરીર ધીમે ધીમે કુદરતી રીતે વૃક્ષનો એક ભાગ બની જાય છે. લોકો કહે છે કે આ રીતે સંસાર છોડ્યા પછી પણ તે બાળક વૃક્ષના રૂપમાં કાયમ રહે છે.

આ પરંપરા ઇન્ડોનેશિયાના મકાસરથી લગભગ ૧૮૬ માઇલ દૂર રહેતા તાના તરોજામાં હોવાનું માનવામાં આવે છે. લોકો પોતાના બાળકોને ઝાડના થડમાં દાટી દે છે અને વૃક્ષને પોતાનું બાળક માનવા લાગે છે.

વૃક્ષોની અંદરની ખાલી જગ્યા અહીં રહેતા લોકો દ્વારા બનાવવામાં આવી છે. તેઓ માને છે કે ભલે ભગવાન તેમની પાસેથી તેમનું બાળક છીનવી લે, પરંતુ આ પરંપરા તેમના બાળકને જવા દેતી નથી. તે હંમેશા તેના માતા-પિતાની નજીક રહે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.