Western Times News

Gujarati News

મારી માગ કે અપેક્ષા નહોતી કે મને મુખ્યમંત્રી પદ જાેઈએ છેઃ શિંદે

મુંબઈ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા બાદ એકનાથ શિંદેએ મહત્વનુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે રવિવારે જે સ્પીકરની ચૂંટણી હતી, તે અમે લોકોએ સારા મતથી જીતી લીધી છે. અમારી પાસે ૧૬૬ મત છે, સામે વાળા પાસે માત્ર ૧૦૭ છે, આ જે અંતર છે, તે ખૂબ વધારે છે અને તે દિવસેને દિવસે વધતુ જશે. તેમણે કહ્યુ કે આ પહેલી લડાઈ સ્પીકરની અમે લોકોએ આજે જીતીને બતાવી છે.

અત્યારે વિધાનસભાના સ્પીકરે શિવસેના વિધાનમંડળ પાર્ટીના જુથનેતા તરીકે મને નિયુક્ત કર્યો છે અને ચીફ વ્હિપ ભરત ગોગાવલેને નિયુક્ત કર્યા છે. અમારી પાસે બહુમત છે. અગાઉ જે ગ્રુપ લીડર અજય ચૌધરી અને સુનીલ પ્રભુ વ્હિપ હતા તેમની પાસે બહુમત નથી. લઘુમતીમાં તેમણે આ બદલાવ કર્યો હતો અને મને બદલી લીધો હતો.

પરંતુ આજે જે અમે લોકોએ સ્પીકર પાસે પિટીશન ફાઈલ કરી છે તેમણે તેનો ર્નિણય આપ્યો છે કેમ કે લીગલી જેમની પાસે બહુમત હોય છે, તેમની જ પસંદગી કરવામાં આવી શકે છે અને તે આજે કરી દીધુ છે. આનો અર્થ સત્ય સામે આવી ગયુ છે. મારી કોઈ એવી માગ કે અપેક્ષા નહોતી કે મને મુખ્યમંત્રી પદ જાેઈએ પરંતુ તે એક વિચારધારાનો વિષય હતો.

બાલાસાહેબ ઠાકરેના હિંદુત્વની વિચારધારાવાળી વાત હતી અને જે મહા વિકાસ અઘાડીની બીજી પાર્ટીઓ હતી, તેનાથી અમારા પાર્ટીના કાર્યકર્તા નારાજ હતા, ચૂંટણી વિસ્તારમાં કામ થઈ રહ્યુ નહોતુ તેથી ધારાસભ્ય નારાજ હતા કેમ કે દરેક ધારાસભ્યની ઈચ્છા હોય છે કે અમારા વિસ્તારમાં સારુ કામ થાય વિકાસ થાય, લોકોને ન્યાય મળે પરંતુ આવી કોઈ વાત જાેવા મળી રહી નહોતી અને તેમના અસ્તિત્વની લડાઈ જે લડી રહ્યા હતા, તેમનુ અસ્તિત્વ જાેખમમાં પડી ચૂક્યુ હતુ.

તેથી અમે લોકોએ પ્રયત્ન પણ કર્યો, કે આને દુરસ્ત કરવામાં આવે, કંઈક કરેક્શન થઈ જાય પરંતુ તેમાં અમે સફળ થયા નહીં. જેથી જાે ૫૦ ધારાસભ્ય એક તરફ જાય છે, તો આનો અર્થ શુ છે, તેમાં ભૂલ કોની છે. એ શોધવુ જાેઈએ. કોઈને બદનામ કરવાનો પ્રયત્ન કરવો જાેઈએ નહીં. તેથી આટલી મોટી સંખ્યામાં ધારાસભ્ય આજે અમારી સાથે છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.