Western Times News

Gujarati News

સરદાર પટેલ જન્મ જયંતીની રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરાઈ

કાશ્મિરમાંથી કલમ ૩૭૦ દૂર થતા સરદાર સાહેબનું  એક અખંડ રાષ્ટ્રનું સપનું સાકાર થયું 

  • સમગ્ર રાજ્યમાં એકતા માટેની દોડ -રન ફોર યુનિટી યોજાઈ હતી. 
  • નાગરિકોને રાષ્ટ્રીય એકતા ના શપથ લેવડાવાયા

લોહપુરૂષ સરદાર પટેલની જન્મ જયંતી ૩૧ ઓકટોબરની દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. એકતા અને અખંડિતતાના શિલ્પી ગુજરાતના સપૂત સરદાર સાહેબની આ  વર્ષની જન્મ જયંતી દેશ માટે વિશેષ છે કારણ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહની કુશાગ્ર દ્રષ્ટીથી કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મિરમાંથી ૩૭૦ની કલમ રદ કરતાં ભારત સાચા અર્થમાં એક અને અખંડ રાષ્ટ્ર બન્યું છે. સરદાર સાહેબનું  એક અને અખંડ રાષ્ટ્રનું સપનું સાકાર થયું છે.

રાષ્ટ્રીય એકતા દિવસ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતીને ગુજરાતમાં પણ રાષ્ટ્રીય એકતા માટેની દોડ ‘રન ફોર યુનિટી’, ‘રાષ્ટ્રીય એકતા શપથ’ તથા ‘રાષ્ટ્રીય એકતા પરેડ’ સાથે અમદાવાદ સહિત જિલ્લા મથકોએ ઉજવણી કરવાનું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત સવારે ૭.૦૦ કલાકે જિલ્લા મથકોએ ‘રન ફોર યુનિટી’ અને સાંજે ૫.૦૦ કલાકે ‘રાષ્ટ્રીય એકતા પરેડ’ યોજાઈ હતી.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અમદાવાદના પોલીસ સ્ટેડિયમથી ‘રન ફોર યુનિટી’ને પ્રસ્થાન કરાવશે, અને સાંજે ૫.૦૦ કલાકે સરદાર પટેલ સ્ટેડિયમમાં યોજાનારી રાષ્ટ્રીય એકતા પરેડમાં ઉપસ્થિત રહેશે. તેમની સાથે ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા જોડાયા હતા. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ મહેસાણા ખાતેથી રાષ્ટ્રીય એકતા દિવસનો પ્રારંભ કરાવ્યુ હતું.

રાજ્યના તમામ ૩૩ જિલ્લા મથકોએ રાજ્ય મંત્રી મંડળના સભ્યશ્રીઓ, પદાધિકારીઓ ‘રન ફોર યુનિટી’ નો આરંભ કરાવ્યુ અને ઉપસ્થિત લોકોને, ‘રાષ્ટ્રીય એકતા શપથ’ લેવડાવ્યા તથા ‘રાષ્ટ્રીય એકતા પરેડ’ માં પણ ઉપસ્થિત રહ્યા હતા.

તદનુસાર વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી વડોદરાથી, કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુ જામનગરથી, શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખેડાથી, મહેસુલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલ ગાંધીનગરથી, વનમંત્રી શ્રી ગણપતભાઇ વસાવા સુરતથી, અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા રાજકોટથી, શ્રમ-રોજગાર મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોર પાટણથી, સામાજિક ન્યાય-અધિકારીતા મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમાર તાપીથી, પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા મોરબીથી, પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડા જૂનાગઢથી, ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે કરાવ્યો હતો.

આ ઉપરાંત દાહોદથી, કૃષિ રાજ્ય મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમાર પંચમહાલથી, સહકાર રાજ્ય મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ ભરૂચથી, પ્રવાસન રાજ્ય મંત્રી શ્રી વાસણભાઇ આહિર કચ્છથી, મહિલા બાળ વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે ભાવનગરથી, વન રાજ્ય મંત્રી શ્રી રમણલાલ પાટકર વલસાડથી, શહેરી આવાસ રાજ્ય મંત્રી શ્રી યોગેશભાઇ પટેલ આણંદથી, અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અમરેલીથી, નાયબ મુખ્ય દંડક શ્રી આર.સી. પટેલ નવસારીથી રાષ્ટ્રીય એકતા દિવસનો પ્રારંભ કરાવ્યો હતો.

આ ઉપરાંત શ્રીમતી ભાવનાબેન દવે સાબરકાંઠાથી, શ્રી ડી.ડી.પટેલ મહિસાગરથી, શ્રી આઇ.કે.જાડેજા સુરેન્દ્રનગરથી, શ્રી બલવંતસિંહ રાજપૂત બનાસકાંઠાથી, શ્રી મુળુભાઇ બેરા દેવભૂમિદ્વારકાથી, શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા પોરબંદરથી, શ્રી રાજેશભાઇ પાઠક અરવલ્લીથી, શ્રી હંસરાજભાઇ ગજેરા ગીર સોમનાથથી અને શ્રી દલસુખભાઇ પ્રજાપતિ છોટાઉદેપુરથી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નો પ્રારંભ કરાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.