Western Times News

Gujarati News

સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પુષ્પાંજલિ

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી  સરદાર વલ્લભ ભાઈ પટેલ જન્મ જ્યંતી ૩૧ ઓક્ટોબરે કેવડીયા ખાતે સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પુષ્પાંજલિ અર્પણ કરી આ રાષ્ટ્ર પુરુષ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરી હતી.

*વડાપ્રધાનશ્રી બુધવારે  ૩૦ ઓક્ટોબરે રાત્રે   ૮.૩૦ કલાકે નવીદિલ્હી થી અમદાવાદ આવશે અને ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કર્યુ હતું.

*પ્રધાનમંત્રી શ્રી ના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર તેઓ ૩૧ ઓક્ટોબરે સવારે ૮.૧૫ વાગ્યે કેવડીયા ખાતે આયોજિત  રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ માં ઉપસ્થિત રહેશે અને સૌને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા.

*આ રાષ્ટ્રીય એકતા પરેડ માં રાજ્ય પોલીસ દળ ની પાંચ ઉપરાંત કેન્દ્રીય દળ ની ટુકડીઓ માર્ચ પાસ્ટ યોજશે અને એન.એસ.જી  સી આઈ એસ એફ  એન ડી આર એફ તેમજ સી આર પી એફ અને ગુજરાત પોલીસ અને જમ્મુ કાશ્મીર પોલીસ ના સાહસ પૂર્ણ નિદર્શન યોજાયા હતા.  પ્રધાન મંત્રી આ અવસરે સંબોધન કર્યુ હતું.

*શ્રી નરેન્દ્રભાઇ મોદી તે પછી ૯.૫૦ કલાકે કેવડીયા માં નવનિર્મિત ટેકનોલોજી ડેમોસ્ટ્રેશન સાઈટનું ઉદ્ઘાટન અને મુલાકાત કર્યુ

*પ્રધાનમંત્રી ત્યાર બાદ બપોરે ૧૨ થી ૨, વાગ્યા સુધી   દેશના IAS પ્રોબેશનર અધિકારીઓ ના કાર્યક્રમ માં જોડાશે*

*તેઓ  આ અધિકારીઓએ પાંચ થીમ પર તૈયાર કરેલા પ્રેઝન્ટેશન નિહાળશે અને તાલીમી અધિકારીઓ સાથે વાર્તાલાપ ચર્ચામાં સહભાગી થશે*

*વડાપ્રધાનશ્રી આ પ્રોબેશનરી અધિકારીઓ સાથે બપોર નું ભોજન લેવાના છે અને ત્યાર બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગ્રુપ ફોટો સેશન માં પણ જોડાવાના છે*

*વડાપ્રધાનશ્રી સાંજે ૫ ૪૫ કલાકે  કેવડીયા થી હવાઈ માર્ગે વડોદરા પહોંચશે અને ત્યાંથી વાયુદળના વિમાન મારફતે નવી દિલ્હી જવા રવાના થશે*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.