Western Times News

Gujarati News

પોરબંદરનો ઘેડ પંથક વરસાદથી જળબંબાકાર, અનેક રસ્તા બંધ

ભાદર તેમજ ઓઝત અને મીણસાર સહિતની નદીઓના પાણી ઘેડ પંથકના ગામોમાં ફરી વળતા ગામો બેટમાં ફેરવાયા

પોરબંદર,  પોરબંદર સહિત સૌરાષ્ટ્રમા પડેલ ભારે વરસાદ તેમજ ઉપરવાસના ડેમોમાંથી પાણી છોડવામાં આવતા પોરબંદરના ઘેડ પંથક વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ જાેવા મળી રહી છે. ઘેડ પંથકના ગામોને જાેડતા ૧૫ જેટલા રસ્તાઓમાં નદીઓ સમાન પાણી ભરાતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.

તો જે રસ્તાઓ ચાલુ છે ત્યા પણ જીવના જાેખમે વાહચાલકો વાહન ચલાવતા જાેવા મળી રહ્યા છે. પોરબંદર જિલ્લામાં પડેલ ભારે વરસાદ તેમજ ભાદર તેમજ ઓઝત અને મીણસાર સહિતની નદીઓના પાણી પોરબંદર જિલ્લાના ઘેડ પંથકના ગામોમાં ફરી વળતા ગામો બેટમાં ફેરવાયા છે.

તો રસ્તાઓ પર પણ પાણી ફરી વળતા ચીકાસાથી ગરેજ જતો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. તેવી જ રીતે ચિંગરીયાથી મંડેર તેમજ ભડ ચિકાસા રોડ, છત્રાવા નેરાણા રોડ, છત્રાવા જમરા રોડ આવી રીતે ઘેડ પંથક વિસ્તારના કુલ ૧૫ જેટલા રસ્તાઓ બંધ હાલતમાં છે.

દર વર્ષે જાેવા મળતી આ પરિસ્થિતિ અંગે ગામના સ્થાનિકોએ એવું જણાવ્યું હતું કે,દર વર્ષે આવી જ પરિસ્થિતિનુ નિર્માણ થાય છે જેને કારણે રસ્તાઓ બંધ થઈ જાય છે અને ખેતરોમાં પાણી ભરાય જતા ખેતરોમાં વાવણી પણ થઈ શકતી નથી અને રસ્તાઓ બંધ થતા મેડીકલ ઈમરજન્સી વખતે પણ હાલાકીનો સામનો કરવો પડે છે.

આ વર્ષે પણ ચીકાસાના ખેતરો બેટમાં ફેરવાયેલા જાેવા મળી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, પોરબંદર જિલ્લામાં દર વર્ષે સીઝનનો કુલ ૨૫ ઇંચ જેટલો વરસાદ નોંધાતો હોય છે. ત્યારે આ વખતે પ્રથમ બે રાઉન્ડમાં જ સરેરાશ ૨૨ ઈંચથી વધુ વરસાદ પડી ચુક્યો છે.

સતત પાણીમાં ગરકાવ થયેલા હોવાથી મગફળી અને કપાસ સહિતનો પાક નિષ્ફળ નિવડ્યો છે અને પશુઓને ખવરાવવા માટેનો ચારો પણ નથી. ઉલેખ્ખનીય છે કે ઘેડ પંથકના તમામ ગામોમાં ભાદર અને ઓઝત સહિતના પાણી ફરી વળતા ઘેડ પંથકમાં જ્યા નજર કરો ત્યા બસ પાણી જ પાણી જાેવા મળી રહ્યુ છે. જે વિસ્તારમાં ઉનાળા દરમિયાન પાણીની અછત સર્જાતી હોય છે તે ઘેડ પંથક હાલમાં પાણીથી તરબોળ થયેલો જાેવા મળી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.