Western Times News

Gujarati News

ગીર ગામોમાં પશુ રસીકરણ ઝડપી બનાવાશે

રાજયમાં લમ્પી વાયરસે પશુઓમાં હાહાકાર મચાવતા માલધારીઓમાં ચિંતાનો માહોલ છવાયો છે જેથી વિસાવદર તાલુકા ગીર માલધારી સમાજના ઉપપ્રમુખ લાખાભાઈ નાથાભાઈ ભાસળીયાએ સરકાર તથા વન વિભાગને રજૂઆત કરી હતી.

આ રજૂઆત બાદ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલને ધ્યાને આવતા તેમણે પશુઓમાં રસીકરણ ઝડપી બનાવવા બાબતે ડીડીઓને પત્ર લખી જણાવ્યું હતું કે ગીરના માલધારીઓ તેમના પશુઓના આધારે જ ગુજરાન ચલાવતા હોય છે

તેમજ ગીરના જંગલમાં વસવાટ કરતા અન્ય પ્રાણી તથા પશુઓના હિત માટે રસીકરણ કરાવવું ખૂબ જ જરૂરી હોય જેથી તાત્કાલિક અસરથી ગીરના નેસના માલધારીઓના પશુ માટે રસી ફાળવવા માટે ભલામણ કરી હતી. આ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે સોમવાથી ગીરના માલધારીઓના પશુનું રસીકરણ ચાલુ થઈ જશે. આ સમાચાર મળતા જ માલધારીઓમાં આનંદ છવાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.