Western Times News

Gujarati News

મન કી બાદ: વડાપ્રધાને ખેલાડીઓ અને વિદ્યાર્થીઓને આપ્યા અભિનંદન 

Mann ki baat PM Modi (98)

 આઝાદીનો અમૃત ઉત્સવ એક જન આંદોલનનું સ્વરૂપ, વડાપ્રધાન મોદી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ ના 91માં એપિસોડમાં દેશવાસીઓને સંબોધન કર્યું હતું.   પીએમ મોદીએ દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર દેશવાસીઓને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે,  “આ વખતે ‘મન કી બાત’ ખૂબ જ ખાસ છે. તેનું કારણ આ વખતે સ્વતંત્રતા દિવસ છે,

જ્યારે ભારત તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરશે. આપણે બધા એક ખૂબ જ અદ્ભુત અને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ. 31મી જુલાઈ એટલે કે આ દિવસે આપણે સૌ દેશવાસીઓ શહીદ ઉધમસિંહજીની શહાદતને નમન કરીએ છીએ. હું અન્ય તમામ મહાન ક્રાંતિકારીઓને મારી નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જેમણે દેશ માટે તેમના જીવનનું આહુતિ આપી.

વધુમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તેને એક આઝાદીનો અમૃત ઉત્સવ તરીકે ઉજવી રહ્યા છીએ મને એ જોઈને ખૂબ જ આનંદ થાય છે કે આઝાદીનો અમૃત ઉત્સવ એક જન આંદોલનનું સ્વરૂપ લઈ રહ્યો છે. તેને લગતા વિવિધ કાર્યક્રમોમાં દરેક ક્ષેત્રના અને સમાજના દરેક વર્ગના લોકો ભાગ લઈ રહ્યા છે.

સ્વતંત્રતાના અમૃત મહોત્સવના ભાગરૂપે 13 થી 15 ઓગસ્ટ દરમ્યાન એક વિશેષ આંદોલન ‘હર ઘર તિરંગા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ચળવળનો હિસ્સો બનીને 13 થી 15 ઓગસ્ટ સુધી તમારે તમારા ઘરે ત્રિરંગો ફરકાવો અથવા તેને તમારા ઘરે મુકવો. 2 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી આપણે બધા આપણા સોશિયલ મીડિયા પ્રોફાઇલ પિક્ચરમાં ત્રિરંગો મૂકી આ જાણ આંદોલનને વધુ વેગવંતુ બનાવી શકીયે છીએ.

રાષ્ટ્રધ્વજની રચના કરનાર પિંગલી વેંકૈયાને અને ક્રાંતિકારી ઉધમસિંહને શ્રદ્ધાંજલિ  કરી અર્પણ

મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ પિંગલી વેંકૈયાને યાદ કર્યા હતા. તેમણે કહ્યું 2 ઓગસ્ટએ આપણા રાષ્ટ્રધ્વજની રચના કરનાર પિંગલી વેંકૈયાજીની જન્મજયંતિ છે. હું તેમને મારી આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે 31મી જુલાઈએ આપણે શહીદ ઉધમસિંહજીને યાદ કરી રહ્યા છીએ. હું તેમને નમન કરું છું.

આયુષ સેક્ટરમાં નવા સ્ટાર્ટઅપ્સથી આનંદ થયોઃ પીએમ મોદી

આયુષે વૈશ્વિક સ્તરે કોરોના સામે મહત્વની ભૂમિકા ભજવી છે. વિશ્વમાં આયુર્વેદ અને ભારતીય દવાઓ તરફ આકર્ષણ વધી રહ્યું છે. તાજેતરમાં જ ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ યોજાઈ હતી. જેમાં લગભગ 10 હજાર કરોડ રૂપિયાના રોકાણના પ્રસ્તાવો મળ્યા છે. ભારતીય વર્ચ્યુઅલ હર્બેરિયમ જુલાઈ મહિનામાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

PMએ ખેલાડીઓ અને વિદ્યાર્થીઓ માટે કહ્યું કે, આજે આપણા યુવાનો દરેક ક્ષેત્રમાં દેશને ગૌરવ અપાવી રહ્યા છે. આ મહિને પીવી સિંધુએ સિંગાપોર ઓપનનું પોતાનું પ્રથમ ટાઇટલ જીત્યું છે. પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શનને જારી રાખતા નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ દેશ માટે સિલ્વર મેડલ જીત્યો છે.

ચેન્નાઈમાં 44મી ચેસ ઓલિમ્પિયાડની યજમાની કરવી એ ભારત માટે પણ એક મહાન સન્માનની વાત છે. આ ટુર્નામેન્ટ 28મી જુલાઈએ જ શરૂ થઈ છે અને મને તેના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવાનો લહાવો મળ્યો. થોડા દિવસો પહેલા ધોરણ 10 અને 12 નું પરિણામ પણ દેશભરમાં જાહેર કરવામાં આવ્યું છે, હું તે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું જેમણે તેમની મહેનત અને સમર્પણથી સફળતા પ્રાપ્ત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.