Western Times News

Gujarati News

શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવાલયો રંગોળીથી શણગારાયા

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) શ્રાવણ માસનો પ્રારંભ થયો ત્યારથી સમગ્ર બાયડ પંથકમાં શ્રદ્ધાને ભક્તિનો માહોલ છવાયો છે શ્રાવણના આજે છેલ્લા દિવસે પંથકના પ્રખ્યાત ઋણ મુક્તેશ્વર મહાદેવ ,ધારેશ્વર મહાદેવ ,વૈધનાથ મહાદેવ, સોમનાથ મહાદેવ સહિતના શિવાલયો શિવભક્તો ભાવિકોના ભીડથી ઉભરાયા હતા

શિવાલયો‘ઓમ નમઃ શિવાય’ અને ‘હર હર મહાદેવના’ નાદ થી ગુંજી ઉઠ્‌યા હતા ભોળાનાથ ના ભક્તો બીલ્વ પત્ર, જલાભિષેક, દુગ્ધાભિષેક, પંચામૃતભિષેક અર્પણ કરી મનોકામના પૂર્ણ થવાની કામના કરતા નજરે પડ્યા હતા ભોળાનાથ શિવ સંસારના ત્રિવિધ પાપોથી મુક્તિ અપાવનારો દેવ છે

શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે ભગવાન ભોળાનાથની ભક્તિ આરાધના નુ વિશેષ મહત્વ હોય છે આજે સોમવારે તમામ શિવાલયો અલગ અલગ રંગોળી થી ભોળાનાથને શણગારવામાં આવ્યા હતા જ્યારે ઋણ મુક્તેશ્વર મહાદેવ અલગ અલગ ફ્રુટ થી ભોળાનાથ ને નવા શણગાર સાથે હિંડોળો ભરવામાં આવ્યો હતો

આ હિંડોળો રસિકભાઈ” દિપક ફ્રુટ એન્ડ જ્યુસ સેન્ટર “દ્વારા ભરવામાં આવ્યો હતો આ હિંડોળાના દર્શનાર્થે ભક્તજનો મંદિરે ઉમટી દેવ દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.