Western Times News

Gujarati News

પૂર્વ વડાપ્રધાને ૫ કરોડ માટે ગુમાવ્યો જીવ: શિન્ઝો આબે મર્ડરમાં નવો ખુલાસો

ટોકયો, જાપાનના પૂર્વ વડાપ્રધાન અને પીએમ નરેન્દ્ર મોદીના સારા મિત્ર શિન્ઝો આબેની હત્યામાં મોટો ખુલાસો થયો છે. જાપાનના શાસક પક્ષ સાથે ગાઢ સંબંધો ધરાવતા યુનિફિકેશન ચર્ચ દ્વારા આપવામાં આવેલી માહિતી પરથી હત્યા પાછળના કારણો સામે આવી રહ્યા છે. ચર્ચે સ્વીકાર્યું છે કે શિન્ઝો આબેની હત્યા કરનાર વ્યક્તિની માતાએ વધુ પડતું યોગદાન આપ્યું હતું અને આ હત્યાનું સંભવિત કારણ હોઈ શકે છે.

બે મહિના પહેલા ૮ જુલાઈના રોજ શિન્ઝો આબે જાપાનના નારામાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. તે જ સમયે, ૪૧ વર્ષીય તેત્સુયા યામાગામીએ જાહેરમાં ગોળી મારીને હત્યા કરી હતી. આ માટે તેણે ઘરે બંદૂક તૈયાર કરી હતી. યામાગામીએ કબૂલાત કરી હતી કે યુનિફિકેશન ચર્ચ સાથેના જાેડાણને કારણે તેણે શિન્ઝો આબેની હત્યા કરી હતી. આ ચર્ચને જાપાનમાં મૂનીઝ પણ કહેવામાં આવે છે. તેણે કહ્યું કે ચર્ચને કારણે તેનો પરિવાર નાદાર થઈ ગયો. યામાગામીની માતા લાંબા સમયથી આ ચર્ચના સભ્ય છે.

માહિતી આપતાં ચર્ચે કહ્યું કે છેલ્લા બે દાયકામાં આરોપીની માતાએ ૧૦૦ મિલિયન યેન (લગભગ સાડા પાંચ કરોડ રૂપિયા) દાનમાં આપ્યા છે. એટલું જ નહીં, તેણે પોતાનો જીવન વીમો અને જમીન પણ દાનમાં આપી દીધી. જાેકે, ચર્ચનું કહેવું છે કે અડધી મિલકત શંકાસ્પદના કાકાના કહેવા પર પરત કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે આ કારણથી તેનો પરિવાર ગરીબીના ખાડામાં ગયો હતો.

ચર્ચના વરિષ્ઠ અધિકારી હિદેયુકી તેશિગવારાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે યામાગામીએ પોલીસને જે કહ્યું તેનાથી તેઓ “ખૂબ જ દુઃખી” છે. યામાગામીએ પોલીસને જણાવ્યું કે તે ચર્ચ પ્રત્યે ગુસ્સે હતો. તેશિગવારા તેઓ ચર્ચમાં સુધારા પર કામ કરી રહ્યા છે.

તે સુનિશ્ચિત કરશે કે ચર્ચમાં કોઈ નિમણૂક અથવા દાન બળજબરીથી કરવામાં ન આવે. અનુયાયીઓ અથવા પરિવારના કોઈપણ દબાણ વિના આ કરવું જાેઈએ. શિન્ઝો આબેના પણ આ ચર્ચ સાથે ગાઢ સંબંધો હતા. ચર્ચના વકીલે કહ્યું કે યામાગામીની માતાએ આપેલું દાન “અતિશય” હતું અને અમારે તેને ખૂબ જ ગંભીરતાથી લેવું પડશે જેથી પરિવારને તકલીફ ન પડે.

જાપાનમાં પાર્ટીના સર્વેમાં સામે આવ્યું છે કે અડધાથી વધુ સાંસદો અને મંત્રીઓ ચર્ચ સાથે સંબંધ ધરાવે છે. શિન્ઝો આબેની હત્યા બાદ, વર્તમાન વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ શપથ લીધા છે કે તેમની સરકાર ચર્ચ સાથેના તમામ સંબંધોનો અંત લાવશે. પરંતુ જાપાનના સામાન્ય લોકો જાણવા માંગે છે કે રાજકીય પક્ષો આ ચર્ચ સાથે આટલી નજીક કેમ છે.

યુનિફિકેશન ચર્ચની સ્થાપના સૌપ્રથમ ૧૯૫૪માં દક્ષિણ કોરિયામાં કરવામાં આવી હતી. એક દાયકા પછી, તે જાપાનમાં પ્રવેશ્યું. આ ચર્ચ સામ્યવાદનો વિરોધ કરતું હતું. આ ચર્ચ ખૂબ વિવાદોમાં પણ રહ્યું છે. જાપાનના નાગરિકો ઘણીવાર આનો વિરોધ કરતા આવ્યા છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.