ડિવોર્સ બાદ વધુ મજબૂત થયા મલાઈકા-અરબાઝના સંબંધો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/11/Malika.webp)
મુંબઈ, એક્ટર અને ફિલ્મમેકર અરબાઝ ખાને હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં પૂર્વ પત્ની મલાઈકા અરોરા સાથેના સંબંધો તેમના ડિવોર્સ બાદ કેવી રીતે સુધર્યા છે તેના પર વાત કરી હતી. આ સાથે તેણે સ્વીકાર્યું હતું કે સમય જતાં તેઓ બંને સારી સ્થિતિમાં છે.
આ સાથે તેણે તેઓ એકબીજાની પસંદગી સ્વીકારતા થયા છે અને દીકરા અરહાન ખાનને ખુશહાલ વાતાવરણ આપવા માટે સમર્પિત હોવાનું પણ કહ્યું હતું.
ઈન્ટરવ્યૂમાં અરબાઝને પૂછવામાં આવ્યું હતું કે, શું તે ડિવોર્સ લીધા બાદ સંબંધો વધુ સારા થયો હોવાની મલાઈકાની વાત સામે સંમત છે.
અરબાઝ ખાને કહ્યું હતું કે અમારું એક બાળક છે, તેથી અમારા મનની સ્થિતિ સારી હોવી જરૂરી છે અને અમે બંને અલગ-અલગ વ્યક્તિ તરીકે ઉછર્યા છે. વર્ષ જતાં અમે પરિપક્વ બન્યા છીએ અને એકબીજા વિશે થોડું વધારે સ્વીકારતા થયા છીએ.
અમે જીવનમાં આગળ વધી ગયા છે અને બાબતોને સ્વીકારતા થયા છીએ. ઘણી બધી બાબતો એવી છે જે તેણે મારા વિશે અને મેં તેના વિશે સ્વીકારી છે. અમારો એક કોમન રસ છે અને તે છે અમારું બાળક. તે કોઈ પણ કડવાશ કે નકારાત્મકતાને હકદાર નથી’.
મલાઈકા અરોરા અને અરબાઝ ખાને ૧૯૯૮માં લગ્ન કર્યા હતા અને આશરે ૧૮ વર્ષના લગ્નજીવન બાદ ૨૦૧૭માં અલગ થયા હતા. એક્ટ્રેસ હાલ તેનાથી ૧૨ વર્ષ નાના અર્જુન કપૂરને ડેટ કરી રહી છે અને બંનેએ પોતાના સંબંધો છુપાવવાના બદલે શરૂઆતથી જ સ્વીકાર્યા છે. તો બીજી તરફ અરબાઝ ખાન જ્યોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે.
વર્ક ફ્રંટની વાત કરીએ તો, અરબાઝ ખાન વેબ સીરિઝ ‘તનાવ’માં જાેવા મળશે, જે ઈઝરાયલી હિટ ‘ફૌદા’ની હિંદી રિમેક છે.
શોમાં માહી વિજ, શશાંક અરોરા, રજ કપૂર, એકતા કૌલ, સુમીત કૌલ, ઝરીના વહાબ અને એમકે રૈના સહિતના એક્ટર્સ છે. તો બીજી તરફ મલાઈકા મોટા પડદાથી દૂર છે અને હાલ પોતાના યોગા સ્ટુડિયોમાં વ્યસ્ત છે.SS1MS