Western Times News

Gujarati News

ગામડાંઓની પાણી અને વીજળીની સમસ્યા દૂર કરી છેેઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાલનપુર, મોડાસા અને દહેગામમાં સભાઓને સંબોધન કર્યું

(એજન્સી)અમદાવાદ, ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ રાજ્યમાં વિવિધ સ્થળો સ્ટાર પ્રચારકો દ્વારા વિવિધ જનસભાઓ શરૂ કરી દેવાઈ છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં આવી વિવિધ જનસભાઓ સંબોધી રહ્યા છે. દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસના બીજા દિવસે પાલનપુર તેમજ મોડાસામાં જનસભાઓ સંબોધી હતી.

ત્યારબાદ મોદી દહેગામ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ‘હું દિલ્હીમાં છું, આ મારું સપનું છે, આ સપનું પુરૂ કરવાં કમલને મોકલવું પડશે’ ભાજપે ગુજરાતનાં ગામડાંઓની પાણી અને વીજળીની સમસ્યા દૂર કરી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું અહીં દહેગામની પ્રજાને અભિનંદન આપવા આવ્યો છું. બપોરના સમયે આટલી મોટી સંખ્યામાં તમામ લોકોએ ઉપસ્થિત રહી વટ પાડી દીધો. આઝાદીના ૭૫ વર્ષના અમૃતકાળમાં આ પહેલી ચૂંટણી છે. આ માત્ર પાંચ વર્ષ માટેની ચૂંટણી નથી પણ આગામી ૨૫ વર્ષ બાદ ગુજરાત કેવું દેખાશે તે માટેની ચૂંટણી છે.

તમામ સમૃદ્ધ દેશોના માપદંડોની આગળ ગુજરાત હોય તે માટે આપણે કામ કરવાનું છે. આજે ગુજરાતે જે ૨૦ વર્ષમાં કરી બતાવ્યું છે, તેમાં આત્મસાદ કરી મૂળભૂત વિકાસ કરી મુખ્ય રાજ્ય તરીકે આગળ વધ્યું છે. હું જ્યારે પ્રથમવાર મુખ્યમંત્રી બન્યો ત્યારે વીજળી માટે માંગ કરાઈ હતી. આજે ૨૪ કલાક વીજળી જાેવા મળી રહી છે.

અમારી સરકારે ઘરે ઘરે નળથી જળ અને સિંચાઈ માટે પાણી પહોંચાડી રહી છે. સુજલામ સુફલામ સિવાય દેશભરમાં અમૃત સરોવર પણ બનાવવાની કામગીરી ચાલી રહી છે. દહેગામમાં સંબોધન દરમિયાન તેમણે ભારતની અર્થવ્યવસ્થા અંગે પણ વાત કહી હતી. તેમણે કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થા આજે પાંચમાં ક્રમાંકે છે.

મને જ્યારે દિલ્હી મોકલ્યો ત્યારે આ અર્થવ્યવસ્થા ૧૦માં નંબર પર હતી. આપણા પર ૨૫૦ વર્ષથી જે લોકોએ રાજ કર્યું, તેમણે પાછળ છોડી દીધા એને મને આનંદ છે. જાેકે હવે આપણે અર્થવ્યવસ્થામાં એકથી ત્રણ નંબરમાં પહોંચવાનું છે. આ સભા દરમિયાન મોદીએ મહત્વની વાત કરતા જણાવ્યું કે, દહેગામ અને ગાંધીનગર ટિ્‌વન સિટી હશે.

એટલું જ નહીં ગિફ્ટ સિટીમાં જે રોકાણ કરવા આવશે, તેઓ દહેગામ અને કલોલમાં જ રહેવા આવશે. દેશભરમાં કલોલ, દહેગામ, ગાંધીનગર વિકાસના નામે ઓળખાશે. તેમણે ગાંધીનગરના વિકાસની વાત કરી કહ્યું કે, અહીં ગામડુ અને શહેર બંનેમાં સરખો વિકાસ થયો છે.

તેમણે કહ્યું કે, આ વાત યાદ રાખજાે કે, એ દિવસ દૂર નથી, જ્યારે ગાંધીનગર, દહેગામ, કલોલ ટિ્‌વન સિટી હશે. આગામી સમયમાં આ ત્રણેય જિલ્લાઓ આખા રાજ્યની આર્થિક કામગીરીને દોડાવનારું મુખ્ય કેન્દ્ર બનશે. પીએમએ કહ્યું, હું દિલ્હીમાં છું, આ મારું સપનું છે, આ સપનું પુરૂ કરવાં કમળને મોકલવું પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.