Western Times News

Gujarati News

અમદાવાદ રેલવે મંડળ ઉપર ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો 74મો ગણતંત્ર દિવસ

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમં 74મો ગણતંત્ર દિવસ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો. મંડળ રેલવે મેનેજર શ્રી તરૂણ જૈનએ અમદાવાદ ખાતે રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ સાબરમતીમાં રાષ્ટ્રીય ધ્વન ફરકાવ્યો અને ત્રિરંગાને સલામી આપી. રેલવે સુરક્ષા દળ (આરપીએફ) દ્વારા શાનદાર પરેડ કરવામાં આવી

તથા મંડળ રેલવે મેનેજરને ગાર્ડ ઓફ ઓનર પ્રસ્તુત કર્યું. આ પછી શ્રી જૈન એ તમામ રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનોને ગણતંત્ર દિવસની શુભકામનાઓ આપી તેમજ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી અશોક કુમાર મિશ્રના સંદેશનું વાંચન કર્યું

અને વર્ષ દરમિયાન અમદાવાદ મંડળની અત્યાર સુધીની ઉપલબ્ધિઓ વિશે વિસ્તારથી માહિતી આપી. આ અવસર પર આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો અને નૃત્યોએ સહુના મન ને રાષ્ટ્રીય એકતાની ભાવનાથી ઓતપ્રોત કરી દીધા.

આ કાર્યક્રમમાં પશ્ચિમ રેલવેના મહિલા કલ્યાણ સંગઠન અમદાવાદ મંડળની અધ્યક્ષા શ્રીમતી ગીતિકા જૈન અને તેમની ટીમ, અમદાવાદ મંડળના અપર મંડળ રેલવે મેનેજર (ADRM-INFRA) શ્રી દયાનંદ સાહૂ, અપર મંડળ રેલવે મેનેજર (ADRM) શ્રી અનંત કુમાર, સિનિયર મંડળ કોમર્શિયલ મેનેજર શ્રી પવન કુમાર સિંહ,

સિનિયર મંડળ સુરક્ષા આયુક્ત શ્રી એ. ઈબ્રાહીમ શરીફ, સિનિયર મંડળ કાર્મિક અધિકારી શ્રી હર્ષદ કુમાર વાણિયા તેમજ અન્ય વિભાગોના સિનિયર અધિકારી અને કર્મચારીઓની સાથે તેમના પરિવારજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.