Western Times News

Gujarati News

દિવ્યધામ વલારડી ખાતે દેવી કથામૃત અને વિષ્ણુયાગ યોજાશે

રાજકોટ, સમસ્ત વઘાસિયા પરિવારના રણખાંભીના સુરાપુરા પાતાદાદાના નુતનમંદિરનો અભિષેક મહોત્સવ, ત્રિ-દિવસીય દેવી કથામૃતમ, વિષ્ણુયાગ યજ્ઞ, અન્નકુટ મહોત્સવ તા.૧૯થી ર૧ સુધી બાબરા તાલુકાના દિવ્યધામ વલારડી ખાતે યોજાશે.

આ મહોત્સવમાં તા.૧૯ને સવારે ૮.૩૦ કલાકે નૂતન મંદિર જલયાત્રા, દરરોજ સવારે ૯થી ૧ર અને બપોરે ૩ થી ૬ કલાકે કોલડા નિવાસી યુવા કથાકાર શાસ્ત્રી કૌશિકદાદા જાેષીના વ્યાસાસને ત્રિ-દિવસીય દેવી કથામૃતમ, ત્રિ-દિવસીય વિષ્ણુયાગ યજ્ઞ તેમજ તા.ર૦ને સોમવારે ભવ્ય અન્નકૂટ મહોત્સવ યોજાશે. તા.૧૯, શનિવારના રાત્રે ૯ કલાકે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે.

તા.ર૦, રવિવારના રાત્રે ૯ કલાકે પટેલ મ્યુઝિકલ ગ્રુપ-રાજકોટ, રાજુ હાપલિયા પ્રસ્તુત રઢિયાળી રાત દાંડિયા રાસ યોજાશે. દરરોજ મહાપ્રસાદ બપોરે ૧ર કલાકે તેમજ સાંજે ૭ કલાકે યોજાશે. આ ધર્મોત્સવની સાથે સાથે સામાજિક પ્રવૃતિના ભાગ સ્વરૂપે રકતદાન કેમ્પ, પાણી બચાવો અભિયાન, બેટી બચાવો, ચકલી તેમજ ગાય બચાવો જેવા અભિયાન કરાશે. આ મહોત્સવમાં સંતો-મહંતો, મહાનુભાવો, રાજકીય આગેવાનો વગેરે ઉપસ્થિત રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.