Western Times News

Gujarati News

Malaika:ખાન સરનેમ હટાવ્યા બાદ લોકોએ ચેતવણી આપી હતી

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા હંમેશા લાઈમલાઈટમાં રહે છે. અર્જુન કપૂર સાથે રિલેશનશીપમાં હોવાના કારણે તે કેટલીયવાર ટ્રોલ થઈ ચૂકી છે પરંતુ ‘લોગોં કા કામ હૈ કહેના’વાળા એટિટ્યૂડ સાથે જીવતી મલાઈકાને આ વાતોથી કોઈ ફરક નથી પડતો. તે જિંદગીને મનભરીને માણી રહી છે. અરબાઝ ખાન સાથે ડિવોર્સ લીધા પછી તે પોતાની જિંદગીમાં રોજ કંઈક નવું કરી રહી છે.

જાે બધું જ બરાબર રહ્યું તો તે બીજીવાર મિસમાંથી મિસિસ બની જશે. અર્જુન કપૂર અને મલાઈકા છેલ્લા થોડા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. Malaika was warned by people after removing the Khan surname

ત્યારે હાલમાં જ આપેલા ઈન્ટરવ્યૂમાં મલાઈકાએ અર્જુન સાથે લગ્ન તેમજ પોતાના નામ પાછળથી ખાન સરનેમ હટાવી દેતાં લોકોએ શું કહ્યું હતું તેના વિશે વાત કરી હતી. મલાઈકા અરોરાએ ૧૯૯૮માં અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા અને ૧૯ વર્ષ પછી ૨૦૧૭માં બંનેના ડિવોર્સ થયા હતા. ડિવોર્સનો ર્નિણય બંનેએ સાથે મળીને કર્યો હતો જેથી શાંતિથી મામલો ઉકેલાઈ ગયો હતો.

હાલમાં જ એક મીડિયા ઈવેન્ટમાં મલાઈકાને પૂછવામાં આવ્યું કે, તેની સફળતાનો શ્રેય ખાન પરિવારને આપવામાં આવે છે, આ વાતમાં કેટલું તથ્ય છે? જવાબમાં તેણે કહ્યું, “આનાથી મારા જીવનમાં ખૂબ ફાયદો થયો છે પરંતુ મારા નામની પાછળ એક ફેમસ સરનેમ લાગેલી છે એ હકીકત સાથે હું કાયમ ના રહી શકત.

મારી જિંદગીમાં હું જે કંઈપણ કરવા માગતી હતી તે બધું જ આ સરનેમના લીધે નહોતું. તેણે મારા માટે કેટલાય રસ્તા ખોલ્યા હતા પરંતુ છેવટે તો મારે ખાન સરનેમ વિના જ કામ કરવાનું હતું. મારે આ ઈન્ડસ્ટ્રીમાં ટકી રહેવા માટે ખૂબ મહેનત કરવી પડી અને રોજ પોતાની જાતને સાબિત કરવી પડી.

જ્યારે મારા નામની પાછળ એ સરનેમ લાગેલી હતી અને તેના વિના હું મારા ઘરે આવી એ બંને વખતે હું કામ કરી રહી હતી. મલાઈકાએ આગળ કહ્યું, મારી આસપાસ ઘણાં એવા લોકો હતા જે મને કહી રહ્યા હતા કે ખાન સરનેમ છોડીને હું બહુ મોટી ભૂલ કરી રહી છું.

કેટલાય લોકો કહી રહ્યા હતા કે તને ખબર નથી કે એક સરનેમનું કેટલું મહત્વ હોય છે. મારા મનમાં મારા પૂર્વ સાસરિયાવાળા અને પૂર્વ પરિવાર માટે ખૂબ માન છે. તેમણે મને પ્રેમ આપ્યો હતો. મારો એક દીકરો છે અને હું એ પરિવારનો ભાગ છું. પરંતુ મારા માટે મારા પગભર થવું જરૂરી હતું.

આ ફક્ત સરનેમ વિશે નથી. મેં એ સરનેમ છોડી અને મારા પિયરની સરનેમ ફરી લગાવી ત્યારે મને અહેસાસ થયો કે હું જીવનમાં કંઈપણ કરી શકું છું. મલાઈકાએ અર્જુન કપૂર સાથે પોતાના સંબંધ અંગે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે, અર્જુને તેની જિંદગીને પ્રેમથી ભરી દીધી છે.

તે ઢગલાબંધ ખુશીઓ લઈને આવ્યો છે. તેમની વચ્ચે ભલે ઉંમરનો તફાવત હોય પરંતુ તેમને સાથે રહેવું પસંદ છે. એક્ટ્રેસે કહ્યું કે, તમે રિલેશનશીપમાં હો અને ખુશ ના હો તો તેનો કોઈ ફાયદો નથી. આ સિવાય તેને એક્ટર સાથે લગ્ન અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, હાલ તો તે રિલેશનશીપમાં પ્રી-હનીમૂન ફેઝને માણી રહી છે. લગ્ન વિશે હાલ કંઈ નહીં કહી શકે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.