Western Times News

Gujarati News

વાળના મૂળમાં પોષણનું અતિશય મહત્વ છે

વાળ જેટલા લાંબા અને કાળા તેટલું તેનું સૌંદર્ય વધારે તેમ મનાય છે. જેમ વનસ્પતિનાં સંરક્ષણ અને સંવર્ધનમાં તેનાં મૂળનાં પોષણનું મહત્વ સ્વીકાર્યુ છે તેમ વાળના મૂળમાં પણ પોષણનું મહત્વ છે. શરીરનાં સુંદર સ્વાસ્થ્ય સાથે વાળનો સંબંધ છે તે ક્યારેક ન ભુલવું જાેઇએ.વાળ ખૂબ ઉતરે ક્ર ખરે ત્યારે કેટલીક યુવતીઓને ચોટલી જેટલા વાળ બની જાય છે.આથી,આવી વ્યક્તિ ખૂબ જ ચિતિંત બની જાય છે. આયુર્વેદમાં સ્પષ્ટ ઉલ્લેખ જાેવા મળે છે કે કામ,શોક,ભય,વાયુ,ઉદ્‌દ્વેગ,ચિંતાથી વાયુનો અતિશય પ્રક્ષેપ થાય છે અને તેની અસર વાળ ઉપર થતાં વાળનો જથ્થો ઓછો થાય છે અને વાળ ખૂબ જ પ્રમાણમાં ખરે છે.યુવાનો માટે આજે આ પ્રશ્ન ચિંતાનો વિષય બનતો જાય છે,તેમ કહેવું વધુ પડતું નથી.
એક કાળ એવો હતો કે મહિલાઓના વાળ પગની ઘુંટી સુધી અડે એટલા લાંબા અને ભરાવદાર જાેવા મળતા હતા.ખરેખર આવા વાળ શરીરને શોભારૂપ બની રહેતાં સૌંદર્યનું સાધન મનાય છે.અને પહેલી નજરે ઊંડી છાપ પાડી જાય છે. વાળની કાળજી લેવામાં પ્રથમ તો પાથીએ પાથીએ તેલ ધૂપેલ ઘસીને નાખવામાં આવતું હતું, જેનાથી વાળના મૂળને ખૂબ જ પોષણ મળતું અને વાળનાં મૂળ ખૂબ જ મજબૂત બનતા હતા. આવા વાળમાં ઘણી શક્તિ રહેલી હોય છે. સરકસમાં વાળથી ભારે વજન ઊંચકવાના પ્રયોગો તેની શક્તિનો ખ્યાલ આપી જાય છે. કારણકે તેનું મૂળ બહારની ત્વચામાં થઇ છેક ઊંડે આંતરત્વચા સુધી ગયેલું હોય છે અને ત્યાંથી ચામડીના પડો ભેદીને બહાર આવે છે. તેની આસપાસ નાની નાની રક્તવાહીનીઓ, જ્ઞાનતંતુઓ હોય છે. વળી, તેની આસપાસ માંસપેશીઓ અને મેદની ગ્રંથીઓના મોં પણ આવેલા હોય છે.

ShriramVaidya-logo
Mo. 9825009241

કારણોઃ વાળ ખરવાનાં કારણો શરીરનાં સ્વાસ્થ્ય સાથે વાળને ખૂબ જ નજીકનો સંબંધ છે. ભારે માંદગી કે આઘાત પ્રત્યાઘાતોની પરંપરા પછી વાળ ખરવા માંડે છે. તેની સારવાર કરતાં જ વાળ ખરતં અટકી નવા આવવા માંડે છે. તેનાં કારણોમાં પોષણનું મહત્વ જાણીતું છે. પ્રસૂતા સ્ત્રીના ખરતા વાળ પોષણ મળતાં જ સબળ થવા માંડે છે. અન્ય કારણોમાં વાળ ધોવામાં વપરાતાં દ્રવ્યો પણ ભાગ ભજવે છે. શેમ્પુ અને સાબુના સોડા, કોષ્ટિક જેવાં દ્રવ્યો વધારે પડતાં હોવાથી તેનો વપરાશ વાળના જથ્થાનો ઘાણ કાડઃઈ નાંખે છે.વાળ ખરતા હોય ત્યારે સુગંધીયુક્ત તેલોનો ઉપયોગ ન કરવો જાેઇએ. સાથે સાથે ઊતરતા વાળની ચિંતા પણ વાળના વધુ ખરવામાં મહત્વનો ભાગ ભજવે છે તે ન ભૂલવું જાેઇએ. આઘાત પ્રત્યાઘાતોમાં અચાનક વાળ ખરવાના દાખલાઓ પણ જાણીતા છે. હોર્મોંસના ફેરફાર અને સ્ટીરોઇડના વધુ ઉપયોગથી અથવા તેની આડ અસરોથી વાળના મૂળની ચરબી ઘટી જાય છે ત્યારે વાળ ખરવા માંડે છે. આજે વાળ ખરવાનાં અગત્યનાં કરણોમાં વાળમાં ખોડો થવો એ ખૂબ મહત્વનું કારણ છે. વાળ ખરતાં રોકવા માટે સૌપ્રથમ ખોડો મટાડવાના ઉપચારો કરવા જાેઇએ.

ઉપચારઃ વાળ ખરવા, અકાળે સફેદ થવા, ઉદરી થવી, વાળનો જથ્થો ઓછો થવો, વાળ ખરવાની વારસાગત ફરિયાદ હોય અને દવાઓની અસરથી વાળ ખરતા હોયતો નીચે આપેલી ફોર્મ્યુલા પ્રમાણે બનતા વાળનો પાવડર વાળના મૂળમાં લગાવવો જાેઇએ. ફોર્મ્યુલાઃ ભેંસના દૂધમાં બનાવેલી, રસવંતી, ઇંદ્ર્‌લુપ્ત, ભાંગરો, ત્રિફળા, હીરાકસી, ભોંયરીંગણીનો રસ, અસ્થિભસ્મ, બ્રાહ્મી, ગોખરું, મુલતાની માટી, શ્વેતચંદન. પાવડર બનાવવાની વિધિ આ પ્રમાણે છે, ૨૦૦ગ્રામ રસવંતી અને ૫૦ગ્રામ ગોખરું, તેના વજનથી બમણું કરી બકરીનું દૂધ લેવું. એટલે કે ૧ કિલો ૩૦૦ ગ્રામ દૂધમાં, ૨૦૦ગ્રામ રસવંતી અને ૫૦ગ્રામ ગોખરું નાંખી બે દિવસ ઘૂંટવું. આમ ઘૂટતા ઘૂંટતાં કષ્ઠ સ્વરૂપે પાવડર થઇ જશે.આ પાવડર બાકીના ઉપરોક્ત દ્રવ્યોના પાવડર સાથે મેળવીને લસોટવું.આ વિધિથી બનેલા પાવડર અને તેલ સપ્રમાણ લઇ લેપ કે પેસ્ટ જેવું બનાવવું.રાત્રે માથાના બધા વાળના મૂળમાં નાખી નેપકીન બાંધીને સૂઇ જવું.સવારે આમળા, શિકાકાઇના પાણીથી ધોઇ નાખવું. આ પાવડર લગાવવાથી વાળ લચકદાર અને ચમકીલા બને છે.

તલના પાન માથે ચોપડીને ન્હાવાથી વાળ સુંવાળા અને લાંબા થાય છે.
– જેઠીમધનું તેલ વાપરવાથી વાળ વધે છે. મેથી વાટીને ટાલ ઉપર લેપ કરવો અથવા ટાલ ઉપર લેપ થોડીવાર મૂકી રાખવો. જેથી થોડા જ દિવસમાં ત્યાં નવા વાળ ઉગવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. જેઠીમધ અને લીલા આમળા ૨૫૦ ગ્રામ તલનું તેલ ૫૦૦ ગ્રામ, દૂધ-૫૦૦ ગ્રામ પાણી નાખવું. તે ઉકાળવું. પાણી બળી જાય પછી ઠંડુ તેલ ગાળી લેવું. આ તેલની માલિશ કરવાથી ટાલમાં વાળ ઉગે છે, દાઢી-મૂછનાં વાળ બિલકુલ જતા રહ્યા હોય તો પણ તે પાછા ઉગે છે. ૧ તોલો ચણોઠીનાં મૂળ વાટીને તેનાં ભોયરીગણીના ડીંડવાનો રસ બે

તોલા મેળવી લેપ કરવાથી ટાલ પૂરાઈ જાય છે. તેમાં નવા વાળ ઉગે છે.
ખોડો, જૂ, લીખ દૂર કરવા માટે ડેન્ડ્રફ યોગ તેલનો ઉપયોગ કરવો જાેઇએ. ડેન્ડ્રફ યોગ તેલમાં નીચેનાં ઘટક દ્રવ્યોનો સમાવેશ થાય છે, જે ફક્ત બાહ્ય ઉપચાર માટે છે. ઘટકઃ રક્તચંદન, બાવળછલ, યવાશક, કાંચનાર, આમળા, શ્વેતચંદન, ખેરછાલ, કપૂર, કોકિલસાર તથા કોપરેલ. ઉપયોગઃ રાત્રે વાળમાં ખૂબ જ ઘસીને ડેન્ડ્રફ યોગ તેલ નાખવું. સવારે માથું ધોવું.આ તેલનો પ્રયોગ ખોડો, જૂ, લીખ મટે ત્યાં સુધી દર અઠવાડીયે એક વાર કરવો. સાથોસાથ માથામાં નિયમિત તેલ નાંખવાથી વાળ ખરતા અટકે છે. ગરમ દવાઓ ખાવાથી માથામાં ટાલ પડી ગઈ હોય તો ગોખરું, તલ, મધ, ઘી સમભાગે મેળવી ટાલમાં લેપ કરવો. ટાલનાં ભાગમાં ફરવાળા ટુવાલથી ઘસવું, અથવા શેક કરવો અથવા કાંદાની માલિશ કરવી, આમ કરવાથી ટાલવાળા ભાગમાં લોહી ફરતું થાય છે, અને ઉપરોક્ત લેપથી વાળ જલદી ઉગે છે. રસવંતી અને ચણોઠી પાણીમાં વાટી માથે લગાડવાથી વાળ પાછા ઉગે છે. રસવંતી, આ બંને ને ઘેટીનાં દૂધમાં મેળવી ટાલ ઉપર લેપ કરવો. વાળ જતાં રહ્યાં હોય તો, કડવા પરવરનાં પાન નો રસ માથા ઉપર ત્રણ દિવસ સુધી મસળવો જેથી નવા વાળ આવવા લાગશે. કરેણનું મૂળ પાણી સાથે ઘસીને માથે લગાડવાથી વાળ વધે છે.

ગોક્ષુર, તલ, મધ, અને ઘી સરખા ભાગે વાટી લેપ તૈયાર કરવો. આ લેપ લગાવાથી વાળ નિઃસંશય ફરીથી ઉગે છે. માથામાં લીંબુ મસળવાથી ખોડો મટે છે, અને વાળ વધે છે. આમળાનો પાવડર લીંબુનાં રસમાં ભેળવી માથામાં ભરવાથી પણ વાળ વધે છે. લીંબોળીનું તેલ વાળને ખરતાં અટકાવે છે. બદામનાં તેલની માલિશ કરવાથી વાળ પાછા આવે છે. અને ખરતા બંધ થાય છે. ઉપરાંત ઘચહગિેકક હોય, તો, ધતુરપત્રાદિ તેલ, નિમ્બ તેલ કે કરંજતેલથી અઠવાડીયામાં બે વાર માલિશ કરવું, ઉપરાંત ઘચહગિેકક હોય, વાળ બરછટ હોય, બે મુખવાળ હોય, વાળ વધતા ન હોય તો તે માટે શિરોધારા એ ખૂબ જ અકસીર ઉપાય છે.
ગુલાબનાં ફૂલને પાણીમાં વાટી પછી ટાલમાં લેપ કરવો. નિયમિત આ પ્રમાણે કરવાથી નવા વાળ આવે છે. કાચા એરંડિયામાં રાઈ વાટીને લેપ કરવાથી વાળ ઉગવા માંડશે. આ ઉપરાંત જાે આયુર્વેદિક ઔષધોપચારની વાત કરીએ તો, ખોડા માટે આરોગ્યવર્ધીની વટી, ગંધક રસાયણ અને મહામંજિષ્ઠાદિ કવાથ નિષ્ણાંતની સલાહ અનુસાર લઈ શકાય છે. આ ઉપરાંત જાે ઘચહગિેકક વધારે પ્રમાણમાં હોય તો, ધતુરરગાદિ તેલ, નિમ્બતેલ કે કરંજ તેલથી અઠવાડીયામાં બે વાર માલિશ કરવું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.