Western Times News

Gujarati News

મચ્છર ભગાડવાની દવા સળગાવતાં આગ-ગુંગળાવાથી ૭ લોકોનાં મોત

(એજન્સી)નવી દિલ્હી, દિલ્હીના શાસ્ત્રી પાર્ક વિસ્તારમાં શુક્રવારે એક ઘરમાંથી ૭ લોકોના મૃતદેહ જપ્ત થયા. આ તમામ એક જ પરિવારના સભ્ય છે જ્યારે તેઓ સૂઈ રહ્યા હતા ત્યારે તેમના શ્વાસ દ્વારા શરીરમાં કાર્બન મોનોઓક્સાઈડ દાખલ થઈ ગયુ હતુ

જે આખી રાત મચ્છર ભગાડનારી દવાના સળગવાના કારણે ઉત્પન્ન થયુ હતુ. નોર્થ ઈસ્ટ જિલ્લાના પોલીસ વિભાગે આ જાણકારી આપી છે. રિપોર્ટ અનુસાર શાસ્ત્રી પાર્કમાં એક જ પરિવારના લોકો ગઈ રાતે કોઈલ સળગાવીને સૂઈ ગયા હતા. ત્યારે કોઈલના કારણે તકિયામાં આગ લાગી ગઈ.

આગ લાગવાથી બે લોકોના મોત નીપજ્યા જ્યારે ૫ લોકોના શ્વાસ રૂંધાવાથી મોત નીપજ્યા. માહિતી મળ્યા બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.