Western Times News

Gujarati News

યૂટ્યૂબર અરમાન મલિકે નવજાત દીકરાનું નામ ઝૈદ રાખતા લોકોએ સવાલ ઉઠાવ્યો

મુંબઈ, માત્ર યૂટ્યૂબર અરમાન મલિક જ નહીં પરંતુ તેના પરિવારના દરેક સભ્યો યૂટ્યૂબ પર ખૂબ જ પોપ્યુલર છે, આ પાછળના કેટલાક કારણોમાંથી એક બે-બે પત્ની પણ છે. હાલમાં જ તેની બીજી પત્ની કૃતિકા મલિકે દીકરાને જન્મ આપ્યો છે અને પહેલી પત્ની પાયલ મલિક એક મહિના બાદ જાેડિયા બાળકોની મમ્મી બનવાની છે. અરમાને તેના નવજાત બાળકનું નામ જૈદ રાખ્યું છે. આ મુસ્લિમ નામ સાંભળીને હવે વ્લોગર ટ્રોલ થઈ રહ્યો છે. YouTuber Armaan Malik

આ સિવાય હજી હાલમાં જ કૃતિકાની ડિલિવરી થઈ હોવા છતાં તે મેકઅપ લગાવીને બાળક સાથે વીડિયો બનાવી રહી છે અને પૂરતો આરામ કરી રહી નથી, આ વાત પર બધા ખરીખોટી સંભળાવી રહ્યા છે. ત્યારે હાલમાં તેણે એક વ્લોગ શેર કરીને દરેકને આકરો જવાબ આપ્યો હતો.

અરમાન મલિકે લેટેસ્ટ વ્લોગમાં જણાવ્યું હતું કે ‘હું તમામ ધર્મેને સમાન માનું છું. હિંદુ-મુસ્લિમ બધા ભાઈ-ભાઈ છે. લોકોને એ વાતની પરેશાની થઈ રહી છે કે મેં મારા દીકરાનું નામ જૈદ કેમ રાખ્યું છે પરંતુ મેં જે બાળકો ખૂબ જલ્દી આવવાના છે તેમના નામ અલગ-અલગ ધર્મ પરથી રાખવાનો છું. હું તેમાંથી એકનું નામ સિખ ધર્મ અને બીજાનું નામ ઈસાઈ ધર્મ પરથી રાખીશ. જ્યારે ભારત એક છે તો તમામ ધર્મ પણ એક જ છે. જણાવી દઈએ કે, અરમાનના મોટા દીકરાનું નામ ચિરાયુ છે.

અરમાન મલિકે વધુ એક વ્લોગમાં પાયલ મલિકની ડિલિવરીને ખૂબ જલ્દી થવાની હોવાનું જણાવ્યું હતું. આ સાથે તેણે કહ્યું હતું કે, પ્રેગ્નેન્સીના છેલ્લા દિવસોમાં તેને ખૂબ તકલીફ થઈ રહી છે, તેને ઉધરસની સાથે તાવ પણ છે. આ બધાના કારણે તેને ગર્ભાશયમાં પીડા થઈ રહી છે, ઉલ્ટી પણ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Armaan Malik (@armaan__malik9)

ટિ્‌વન્સ બાળકો હોવાથી બેબી બમ્પ વધતાં સરખી રીતે બેસી પણ શકતી નથી. આ જ વ્લોગમાં તેણે ઘરમાં એક દીકરીનો જન્મ થાય તેમજ બધું સરળતાથી પાર પડે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. બીજી તરફ કૃતિકાની વાત કરીએ તો, તેની સી-સેક્શનથી ડિલિવરી થઈ છે અને મા-બાળક બંનેની તબિયત ખરાબ ચાલી રહી છે.

નાનકડા જૈદને કમળાની થોડી અસર છે. ફોલોઅર્સ તેનો ચહેરો જાેવા માટે આતુર છે પરંતુ તે સંપૂર્ણરીતે રિકવર થયા બાદ જ દેખાડશે તેમ પાયલે કહ્યું હતું.અરમાન મલિક અને પાયલ મલિકે વર્ષ ૨૦૧૧માં લવ મેરેજ કર્યા હતા.બંને અલગ-અલગ ધર્મના હોવાથી પાયલના પરિવારને આ વાત મંજૂર નહોવાથી તેમના વિરુદ્ધમાં જઈને લગ્ન કર્યા હતા. અરમાન સાથે લગ્ન કર્યા બાદ પાયલના પરિવારે તેની સાથે સંબંધો તોડી નાખ્યા હતા, થોડા સમય બાદ તેમના ઘરે દીકરા ચિરાયુનો જન્મ થયો હતો.

તેમનું લગ્નજીવન ઠીક ચાલી રહ્યું હતું તે સમયે કૃતિકાની એન્ટ્રી થઈ હતી, જેને પાયલ એક કોમન ફ્રેન્ડ થકી મળી હતી. બાદમાં બંને સારી બહેનપણીઓ બની ગઈ હતી અને એકબીજાના ઘરે આવતી-જતી હતી. પાયલ સાથે મિત્રતા થયા બાદ કૃતિકા અરમાનની ક્લોઝ આવી હતી. એક દિવસ અરમાન મલિકે પાયલને ડિવોર્સ આપ્યા વગર કૃતિકા સાથે લગ્ન કરી લીધા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.