Western Times News

Gujarati News

ઈન્ડિયન આઈડલ ૧૨ના મોહમ્મદ દાનિશના થયા મેરેજ

મુંબઈ, ૨૭ એપ્રિલે ઈન્ડિયન આઈડલ ૧૨ ફેમ મોહમ્મદ દાનિશે લગ્ન કરી લીધા છે. નવી નવેલી દુલ્હને છોડીને દાનિશ હાલ લખનૌમાં છે. દાનિશે લગ્ન કરતાં તેની કેટલીય તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. Indian Idol 12 Mohammad Danish got married

જાેકે, સૌના મનમાં એક જ સવાલ હતો કે, દાનિશની પત્ની કોણ છે અને તેમના લગ્ન ક્યારે નક્કી થયા? ‘ઈન્ડિયન આઈડલ ૧૨’ના દાનિશના મિત્રો લગ્નમાં હાજર હતા તો શું તેમને આ દાનિશની સગાઈ વિશે જાણ હતી? આ બધા જ સવાલોના જવાબ દાનિશે એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂમાં જણાવી છે. દાનિશે ટેલિફોનિક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, શનિવારે લખનૌમાં તેનો શો હોવાથી તે અહીં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Tabish ali (@tabish.ali.official)

જ્યારે લગ્નની બધી જ સેરેમનીના કારણે તેની પત્ની થાકી ગઈ હોવાથી તે સાથે નથી આવી. પોતાની પત્ની વિશે માહિતી આપતાં દાનિશે આગળ કહ્યું, “તેણીનું નામ ફરહીન ફરીદી છે. ફરહીન શદાબ અને અલતાફ ફરીદીની બહેન છે.

શદાબ ખૂબ સારો સિંગર છે અને તેણે ‘ગુંડે’, ‘દબંગ ૨’, ‘નીરજા’, ‘લાલ સિંહ ચઢ્ઢા’, ‘એજન્ટ વિનોદ’ વગેરે જેવી હિન્દી ફિલ્મો માટે ગીતો ગાયા છે. લગ્નમાં સોનુ નિગમ, મિથુન અને પત્ની પલક મુચ્છલ, રાખી સાવંત, સાયલી કાંબલે અને તેનો પતિ ધવલ, નિહાલ તારો, જાવેદ અલી, નચિકેત લેલે, આશિષ, અંજલી સહિતના મહેમાનો હાજર રહ્યા હતા તેમ દાનિશે જણાવ્યું છે.

‘ઈન્ડિયન આઈડલ ૧૨’ના ફાઈનલિસ્ટને તેના હનીમૂન પ્લાન વિશે પૂછવામાં આવતાં તેણે કહ્યું કે, “પહેલા તો હું મારી પત્નીને મદીના લઈને જઈશ. જે બાદ અમે ઈરાકના કર્બાલા જઈશું. ફરહીન સાથે મુલાકાત કઈ રીતે થઈ એ વિશે વાત કરતાં દાનિશે કહ્યું, અમારા પેરેન્ટ્‌સે અમારી મુલાકાત કરાવી હતી.

અમારા અરેન્જ મેરેજ છે. મારા માતાપિતા તેના પરિવારને ઓળખતા હતા.” ‘ઈન્ડિયન આઈડલ ૧૨’ પહેલા જ ફરહીન સાથે નિકાહ નક્કી થઈ ગયા હોવાનો ખુલાસો દાનિશે કર્યો છે. પત્નીના વખાણ કરતાં દાનિશે કહ્યું કે, તે પરંપરાવાદી મહિલા છે અને ઉચ્ચ મૂલ્યો ધરાવે છે.

મારા માતાપિતાએ યોગ્ય છોકરી પસંદ કરી છે. લગ્ન બાદ માતાપિતા સાથે રહેશો કે અલગ? જવાબમાં દાનિશે કહ્યું, હા, અમે માતાપિતા સાથે જ રહીશું. અમારા મુંબઈમાં પાંચ ફ્લેટ છે પરંતુ હું અને ફરહીન મારા મમ્મી-પપ્પા સાથે જ રહીશું.” દાનિશે ખુલાસો કર્યો છે કે, ‘ઈન્ડિયન આઈડલ ૧૨’ શો ચાલતો હતો એ દરમિયાન તેની સગાઈ થઈ ગઈ છે તેવી જાણ કોઈને નહોતી. દાનિશનું કહેવું છે કે, તે લગ્નની વાતનો ઢંઢેરો નહોતો પીટવા માગતો એટલે નહોતું કહ્યું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.