Western Times News

Gujarati News

કલોલમાં રાહ જોઈ રહેલા મુસાફરો બસની અડફેટે આવતા 5ના મોત

અમદાવાદ, ગાંધીનગરઃ કલોલમાં એસટી બસના અકસ્મતામાં ચારના મોતના સમાચાર સામે આવ્યા છે. બસની રાહ જાેઈને ઉભેલા મુસાફરો પર બસ ફરી વળી હતી જેમાં ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 5 killed when bus hits passengers waiting in Kalol

એસટી બસ ચાલકે બસ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. સવારે ૭.૧૮ કલાકે આ ઘટના ઘટી હતી. ખાનગી અને એસટી બસ વચ્ચે અકસ્માત થયો હતો. ઘાયલોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદ તરફ જઈ રહેલી વિરમગામ ડેપોની મીની બસે મુસાફરોને ટક્કર મારી છે. અકસ્માત બાદ બસ ચાલક બસ મૂકીને ફરાર થઈ ગયો છે. હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ જવા બસની રાહ જાેઇ ઉભા રહેલાં મુસાફરોને મીની બસે ટક્કર મારી છે.

આ અકસ્માત બાદ આખા વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે પહેલા કલોલ અને બાદમાં ગાંધીનગર ખસેડવામાં આવ્યા છે.

ખાનગી બસે એસટી બસને ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી. સરકારી બસને ખાનગી બસે ટક્કર મારી હતી. ખાનગી બસે ટક્કર મારી હતી. જે બાદ તેનો ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો. અમદાવાદ જવા બસની રાહ જાેઇ ઉભા રહેલાં મુસાફરોને મીની બસે ટક્કર મારી છે. હાલ આ મુસાફરો ક્યાંના હતા અને કોણ હતા તે અંગે તપાસ ચાલી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.