Western Times News

Gujarati News

અંકલેશ્વર – ભરૂચ વચ્ચે કાર અને બાઈક વચ્ચે અકસ્માતઃ એકનું મોત

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ અને અંકલેશ્વરના જુના નેશનલ હાઈવે નંબર ૮ ઉપર ભૂતમામા ડેરી નજીક વધુ ઈકો કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં સર્જાતા ઈકો કાર બાઈક સવાર ઉપર પડતા તેનું મોત નીપજ્યું હતું.તો અકસ્માત સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ – અંકલેશ્વરને જાેડતા નેશનલ હાઈવે નંબર ૮ ને જાણે અકસ્માતનું ગ્રહણ લાગ્યું હોય તેમ લાગી રહ્યું છે.કારણકે આ માર્ગ ઉપર રોજે રોજ અકસ્માતો સર્જાય રહ્યા છે અને લોકોને ઈજા સહિત મોત પણ થતા જીવ ગુમાવી રહ્યા છે.

ત્યારે ગત રોજ ભરૂચ જીલ્લા વહીવટી તંત્રએ દરેક વાહનો માટે ૪૦ કી.મી ઝડપે પસાર થવા માટે જાહેરનામું બહાર પડ્યું છે.તેમ છતાંય મંગળવારની સવારે ભૂત મામાની ડેરી નજીક એક ઈકો કાર ચાલકે એક બાઈક સવારને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં ઈકો પલ્ટી મારતાં બાઈક સવાર ઉપર પડી હતી.જેમાં અંકલેશ્વરની અંબિકા સોસાયટીમાં રહેતા ૫૦ વર્ષીય ચેતન ધીરજલાલ મહેતાનું મોત નીપજ્યું હતું.જ્યારે બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતના પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો.તો અકસ્માતની જાણ થતાં જ અંકલેશ્વર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવી મૃતદેહને પોસ્ટમૉર્ટમ અર્થે ખસેડી અકસ્માત મોત ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.