Western Times News

Gujarati News

ઇસ્કોન માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા દિવંગતોના પરિવારજનોની ઋષિકેશ પટેલે મુલાકાત લીધી

ગઇ કાલે રાત્રે ઇસ્કોન માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર  દિવંગત આત્માઓ પ્રત્યે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ એ સંવેદના વ્યક્ત કરી છે.

મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ દિવંગતોના સ્વજનોની આજે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મુલાકાત લઈને સાંત્વન પાઠવી હતી. તેમણે આ ગોઝારી ઘટના પર દુ:ખ વ્યક્ત કરીને માર્ગ અકસ્માત સાથે સંકળાયેલ લોકો સામે સત્વરે  સખત કાર્યવાહી કરવામા આવશે તેમ પણ જણાવ્યું હતું. Ahmedabad ISKCON Bridge Horrible Accident

માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર તમામ લોકો પ્રત્યે સરકારે સંવેદનશીલતા દાખવી છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા દિવંગતોના પરિવારજનોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હોવાનું મંત્રી શ્રી ઋષિકેશ પટેલ એ ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.