Western Times News

Gujarati News

નિધિ ભાનુશાળીએ તારક મહેતાના ડાયરેક્ટરના લીધે છોડ્યો હતો શો?

કોને ખૂંચતી હતી ટપ્પુ સેનાની મિત્રતા?

નિધિએ શો છોડ્યો તેનું કારણ આસિત મોદીએ માલવને ગણાવ્યો હતો, તેમણે માલવને કહ્યું હતું કે, ટપ્પુ સેનાને તેં માથે ચડાવીને રાખી છે

મુંબઈ, 
નિધિ ભાનુશાળીએ લગભગ છ વર્ષ સુધી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુ ભીડેનો રોલ કર્યો હતો. ૨૦૧૯માં પોતાના અભ્યાસ પર ધ્યાન આપવા માટે તેણે શો છોડી દીધો હતો. જે બાદ હાલ સોનુના રોલમાં એક્ટ્રેસ પલક સિદ્ધવાની જાેવા મળી રહી છે. છેલ્લા થોડા દિવસથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકર્સ પર ગંભીર આક્ષેપ લાગી રહ્યા છે. જેનિફર મિસ્ત્રીએ આક્ષેપો લગાવવાના શરૂ કર્યા તે પછી રિટા રિપોર્ટરના રોલમાં જાેવા મળી ચૂકેલી પ્રિયા આહુજા ખુલીને બોલી રહી છે. હાલમાં જ પ્રિયાએ નિધિના શો છોડવા અંગે વાત કરી છે. Did Nidhi Bhanushali quit because of TMKOC director?

પ્રિયાનું કહેવું છે કે, નિધિએ શો છોડ્યો ત્યારે પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ દોષનો ટોપલો ડાયરેક્ટર અને પ્રિયાના પતિ માલવ રાજદા પર ઢોળ્યો હતો. ઈન્ટરવ્યૂમાં પ્રિયા આહુજાએ કહ્યું કે, જ્યારે નિધિએ શો છોડ્યો ત્યારે માલવને જવાબદાર ગણવામાં આવ્યો હતો. “નિધિએ શો છોડ્યો તેનું કારણ આસિત મોદીએ માલવને ગણાવ્યો હતો. તેમણે માલવને કહ્યું હતું કે, ટપ્પુ સેનાને તેં માથે ચડાવીને રાખી છે. સાથે જ તેમણે માલવને વ્યક્તિગત સંબંધો અને કામ વચ્ચે અંતર રાખવાનું કહી દીધું હતું.

” ઉલ્લેખનીય છે કે, નિધિ ભાનુશાળી, કુશ શાહ (ગોલી) સાથે પ્રિયા અને માલવના ખૂબ ગાઢ સંબંધો છે. તેઓ તેમના માટે પરિવાર સમાન છે. પ્રિયાના કહેવા પ્રમાણે તેમની આ જ દોસ્તી આસિત મોદીને ખૂંચતી હતી. પ્રિયાએ જણાવ્યું કે, માલવનો એક્સિડન્ટ થયો ત્યારે પણ તેણે શો પ્રત્યે વફાદારી દાખવી હતી. પરંતુ તેના બદલામાં તેને ટોણા સાંભળવા પડ્યા હતા. પ્રિયાએ કહ્યું, “માલવનો બાઈક પર ગંભીર અકસ્માત થયો હતો અને તેના ઘૂંટણની સર્જરી કરાવાઈ હતી. તેને દોઢ મહિનાનો બેડ રેસ્ટ કરવાનું કહેવામાં આવ્યું હતું તેમ છતાં માલવ ૨૦ દિવસમાં જ સેટ પર પાછો ફર્યો હતો.

તેણે પોતાના સ્વાસ્થ્ય કરતાં વધુ મહત્વ શોને આપ્યું હતું. કમનસીબે તેના આ ર્નિણયથી તેને લાંબાગાળાની તકલીફ થઈ છે. રિકવરી દરમિયાન પૂરતો આરામ ના કરતાં અને કાળજી ના લેતાં ૧-૨ વર્ષ સુધી તે લંગડાતો હતો. આજે પણ તે ઝડપથી દોડી નથી શકતો તે ઘૂંટણ વાળવાની કસરત નથી કરી શકતો. જ્યારે તે સેટ પર પાછો ફરી ત્યારે આસિત મોદીએ તેને ટોન્ટ મારતાં કહ્યું હતું કે, તેણે વાહન સંભાળીને ચલાવવું જાેઈતું હતું કારણકે તેના એક્સિડન્ટના લીધે શૂટિંગને નુકસાન થયું હતું. માલવની કર્તવ્યનિષ્ઠા છતાં તેનું મૂલ્ય ના થતાં તેણે શો છોડવાનો ર્નિણય કર્યો હતો.

તેણે શો છોડ્યો અને રાજીનામું આપ્યા બાદ નોટિસ પીરિયડ ભરી રહ્યો હતો. એ વખતે આસિત મોદીએ પ્રોજેક્ટ હેડ સોહિલ રામાણી જાેડે કહેવડાવ્યું હતું કે, માલવ નોટિસ પીરિયડ પૂરો કર્યા વિના જઈ શકે છે. જેથી એવું દેખાય કે માલવને શોમાંથી આસિત મોદી કાઢી મૂક્યો છે, તેમ પ્રિયાએ જણાવ્યું હતું.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.