Western Times News

Gujarati News

જુલાઈમાં ફુગાવો ૧૫ મહિનાની ટોચે પહોંચ્યો હતો

સિટીગ્રુપ ઇન્ક. અનુસાર, રાંધણ ગેસના ભાવમાં ઘટાડો કરવાના ભારતના પગલાથી ફુગાવો ઘટી શકે છે

નવી દિલ્હી, મોંઘવારીમાં રાહત આપતા કેન્દ્ર સરકારે સામાન્ય લોકો માટે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૨૦૦ રૂપિયાનો ઘટાડો કર્યો છે. જ્યારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૪૦૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના વધી ગઈ છે. સિટીગ્રુપ ઇન્ક. અનુસાર, રાંધણ ગેસના ભાવમાં ઘટાડો કરવાના ભારતના પગલાથી ફુગાવો ઘટી શકે છે અને કેટલાક મોટા તહેવારો અને મુખ્ય ચૂંટણીઓ પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે.

અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે ગેસના ભાવ ઘટાડવાના ર્નિણયથી ફુગાવાના દરમાં ૩૦ બેસિસ પોઈન્ટ્‌સનો ઘટાડો થઈ શકે છે. આ સિવાય સપ્ટેમ્બરમાં ટામેટાના ભાવમાં ઘટાડાથી મોંઘવારીનો વધારો ૬ ટકાથી નીચે જવાનો છે. જુલાઈમાં ફુગાવો ૧૫ મહિનાની ટોચે પહોંચ્યો હતો અને અધિકારીઓ છૂટક કિંમતો ઘટાડવા માટે સક્રિય પગલાં લઈ રહ્યા છે.

ભારત સરકાર ખાદ્યપદાર્થોના ભાવમાં ઘટાડો કરીને સામાન્ય લોકોને મોંઘવારીમાંથી રાહત આપવાનો પ્રયાસ કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં, સરકારે ચોખા, ઘઉં, ડુંગળી અને અન્ય અનાજની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, જેથી કરીને વધતી કિંમતોથી રાહત મળી શકે.

આ વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિત ઓછામાં ઓછા પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. આ પછી ૨૦૨૪ની શરૂઆતમાં રાષ્ટ્રીય ચૂંટણી યોજાશે. આવી સ્થિતિમાં, અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે આગામી સમયમાં તિજાેરીમાંથી વધુ નાણાં ખર્ચવામાં આવી શકે છે.

આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવમાં અસ્થિરતા હોવા છતાં, ગેસોલિન અને ડીઝલના પંપ ભાવ એક વર્ષથી વધુ સમયથી યથાવત છે. તેમણે કહ્યું કે ઈંધણની કિંમતમાં કોઈપણ ઘટાડો એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા દ્વારા કરી શકાય છે.

અમેરિકામાં ક્રૂડ ઓઈલના વપરાશનો આંકડો આવી ગયો છે. અમેરિકન પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યૂટ અનુસાર, ત્યાં ક્રૂડની ઇન્વેન્ટરીમાંથી ૧૧.૪૮૬ મિલિયન બેરલ ક્રૂડ લેવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.