Western Times News

Gujarati News

શ્રાવણના અંતિમ સોમવારે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા

સોમનાથ, પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને શ્રાવણના અંતિમ સોમવારે ઉત્તરપ્રદેશના મહામહિમ રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ પધાર્યા હતા.

શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી શ્રી પી.કે.લેહરી સાહેબે ટ્રસ્ટના વી.આઇ.પી અતિથિ ગૃહ ખાતે રાજ્યપાલશ્રીનું સ્વાગત કર્યું હતું. મહામહિમ રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે સહપરિવાર સોમનાથ મહાદેવના દર્શન અને અભિષેક કર્યા હતા. સાથેજ તેઓશ્રીએ સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા અને ધ્વજા પૂજા કરી હતી.

આ તકે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા દ્વારા સોમનાથ મહાદેવનું સ્મૃતિચિત્ર અને પ્રસાદ કીટ રાજ્યપાલશ્રી ને ભેટ આપવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.