Western Times News

Gujarati News

એસ.ટી.બસ ચાલકને એટેક આવતાં બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ

હિંમતનગરના પોલાજપુર પાટીયા પાસે એસ.ટી.બસ ચાલકને ચાલુ બસે હૃદય રોગનો હુમલો આવ્યો

(તસ્વીરઃ મનુભાઈ નાયી, પ્રાંતિજ) હિંમતનગરના પોલાજપુર પાટીયા પાસે એસટી બસના ડ્રાઇવરને ચાલુ બસે હૃદય રોગનો હુમલો આવતા બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ.બસમાં સવાર પેસેન્જરોનો આબાદ બચાવ બસ ચાલકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.

ગુજરાતમાં દિવસે દિવસે હાર્ટ એટેકના હુમલાઓ વધી રહ્યા છે ત્યારે વધુ એક કેસ હિંમતનગરના પોલાજપુર પાટીયા ખાતે સામે આવ્યું છે પાટણ થી લુણાવાડા તરફ વહન કરતી એસટી વિભાગની બસના ડ્રાઇવરની હૃદય રોગનો હુમલો આવતા પેસેન્જર થી ભરેલી બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી.પાટણ ડિવિઝનની બસ મહેસાણા થી વિજાપુર થઈ અને હિંમતનગર તરફ આવી રહી હતી

તે દરમિયાન હિંમતનગર શહેરના પોલાજપુર પાટીયા પાસે ચાલુ બસે હૃદય રોગનો હુમલો આવતા બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી જાેકે બસમાં સવાર એક પણ પેસેન્જરને કોઈપણ પ્રકારની ઈજા થવા પામી નથી. જાેકે બસ ચાલકને પેસેન્જર દ્વારા તાત્કાલિક ૧૦૮ ને જાણ કરી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

હાલ બસ ચાલકની તબિયત સુધારા પર હોવાની સામે આવી રહ્યું છે બસમાં અંદાજિત ત્રીસ કરતાં વધુ પેસેન્જર સવાર હતા અને તમામ પેસેન્જરને હિંમતનગર એસટી વિભાગ દ્વારા અન્ય બસ ફાળવી હિંમતનગર બસ ડેપો ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી તમામ પેસેન્જરને તેઓના રૂટ પ્રમાણે બસમાં મોકલી આપવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.