Western Times News

Gujarati News

ગોધરા પાલિકા દ્રારા રસ્તે રઝળતા પશુઓને પકડવાની ઝુબેશ હાથ ધરતા નગરજનોમાં હાશકારો

(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા શહેરમાં રખડતાં ઢોર મામલે હાઇકોર્ટના આકરા વલણ બાદ હવે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે.જેમાં આજરોજ ગોધરા નગરપાલિકાની ટીમ દ્વારા રખડતા ઢોર પકડવા માટે ઝુંબેશ હાથ ધરી હતી ત્યારે આજે ગોધરાના ભુરાવાવ ચાર રસ્તા પાસે રખડતા ઢોરને પકડવા માટે ગયેલ ટીમ સાથે પશુપાલક દ્વારા રકઝક કરવામાં આવી હતી.

જેથી ગોધરા નગરપાલિકાની ટીમના સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર રમેશભાઈ મહેતા આવીને તાત્કાલિક પશુપાલક સામે કાર્યવાહી કરવા માટે દર્શાવવામાં આવતા પશુપાલક ત્યાંથી પોતાના રખડતા ઢોર લઈને ફરાર થઈ ગયા હતા. જ્યારે ગોધરા નગરપાલિકા ની ટીમ દ્વારા અત્યાર સુધી ૨૫ થી વધુ ગાયોની પકડીને ગોધરાના પરવડી ખાતે આવેલ ગૌશાળામાં મૂકવામાં આવેલ છે. જાેકે આ કામગીરી માત્ર હાઇકોર્ટમાં રિપોર્ટ કરવા પૂરતી જ સીમિત રહેશે કે પછી ખરેખર તંત્ર રખડતા ઢોરની સમસ્યાનો અંત લાવવા માટે સજાગ બન્યું છે તે આવનારો સમય બતાવશે.

ગોધરા નગરપાલિકા દ્વારા હાઇકોર્ટના રિપોર્ટ બાદ રખડતાં ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. માર્ગ ઉપર રખડતી ગાયો ઉપરાંત જ્યાં જ્યાં ગાયો ટોળે વળીને ઉભી રહેતી હોય કે બેસતી હોય તે તમામ સ્થળોએથી ગાયોને પકડવાની કામગીરી હવે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે.

ત્યારે ગોધરા શહેરના ભુરાવાવ ચાર રસ્તા, અંકલેશ્વર મહાદેવ રોડ જેવા તમામ જાહેર માર્ગો ઉપર ગોધરા નગરપાલિકાની ટીમ દ્વારા રખડતા ઢોરોને પાંજરે પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જ્યારે બીજી બાજુ ગોધરા નગરપાલિકાની ટીમ જ્યારે રખડતા ઢોરોને પકડવા માટે જાય છે ત્યારે ઢોરોના પશુપાલકો દ્વારા રકઝક પણ કરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.