Western Times News

Gujarati News

અંકિતા લોખંડે અને પતિ વિક્કી જૈન વચ્ચે ડિવોર્સ થવાના એંધાણ

મુંબઈ, અંકિતા લોખંડે અને વિકી જૈન બિગ બોસ ૧૭ના ઘરમાં છે. ઘરમાં કપલના સંબંધોમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. બિગ બોસ ૧૭ના ઘરમાં બે મહિના સુધી સાથે રહ્યા બાદ બંને વચ્ચે તેમના સંબંધોને લઈને ચર્ચા ચાલી રહી છે.

દરમિયાન અંકિતાએ છૂટાછેડાની શક્યતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. બિગ બોસ ૧૭’ના લેટેસ્ટ એપિસોડમાં વિકી જૈન અને અંકિતા લોખંડે વચ્ચે લડાઈ જાેવા મળી હતી. બંને વચ્ચે ઝઘડો ત્યારે થયો જ્યારે વિકી અને વાઈલ્ડ કાર્ડ આયેશા ખાન મજાક કરતા જાેવા મળ્યા કે “પરિણીત લોકો ઘણી મુશ્કેલીમાંથી પસાર થાય છે.”

આ વાતચીતથી અંકિતા ગુસ્સે થઈ ગઈ અને તેણે પૂછ્યું કે શું વિકી છૂટાછેડા ઈચ્છે છે. આયશાએ વિક્કીને લગ્નજીવન વિશે પૂછપરછ કરતાં ઝઘડો શરૂ થયો હતો. વિકીએ મજાકમાં જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે પરિણીત પુરુષો ક્યારેય સમજાવી શકતા નથી કે તેમને કેટલીક પીડા સહન કરવી પડે છે.

વિકીએ કહ્યું, “હું ક્યારેય કહી શકતો નથી કે મને કેવું લાગે છે. પરિણીત લોકો, ખાસ કરીને પુરુષો, સમાન પરિસ્થિતિમાંથી પસાર થાય છે. તેઓ સમજાવી શકતા નથી કે તેઓ ખરેખર કઇ સ્થિતિમાંથી પસાર થાય છે અને તેમને શું દુઃખ થાય છે.

આયેશાએ કહ્યું કે તે તેના પિતાના કારણે જ લગ્ન કરશે. વિકીને જવાબ આપતા અંકિતાએ કહ્યું, ‘તને આટલું દુઃખ છે તો તું મારી સાથે કેમ છે.

ચાલો ડિવોર્સ લઈ લઇએ, મારે તારી સાથે ઘરે પાછા જવું નથી. આયેશા સાથે વાત કરતાં તેણે કહ્યું, “વિકી મને પ્રેમ કરે છે પરંતુ તે મને તે નથી આપી રહ્યો જે હું ખરેખર ઈચ્છું છું. કેટલીકવાર હું તેના દ્વારા હાવી થયાનું અનુભવું છું. SS1SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.