Western Times News

Gujarati News

ફેન્સ હવે “ભૂલ ભુલૈયા ૩”ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે

મુંબઈ, કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ ભૂલ ભુલૈયા-૩ને લઈને ઘણા સમયથી ઘણા સમાચારો સામે આવી રહ્યા છે. દરમિયાન સમાચાર આવ્યા હતા કે, આ મોસ્ટ અવેટેડ ફિલ્મમાં મંજુલિકાના પાત્ર માટે તબ્બૂ નહીં પરંતુ વિદ્યા બાલન આવી શકે છે. જો કે, આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

તમને જણાવી દઈએ કે, ૨૦૦૭માં રિલીઝ થયેલી અક્ષય કુમાર અને વિદ્યા બાલનની હોરર કોમેડી ફિલ્મ ભૂલ ભુલૈયાએ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. કાર્તિક આર્યનની ભૂલ ભુલૈયા ૨માં વિદ્યા બાલનને રિપ્લેસ કરવામાં આવી હતી. હવે તે ફિલ્મના ત્રીજા ભાગમાં વાપસી કરી શકે છે.

કાર્તિક આર્યનની ભૂલ ભુલૈયા ૨ જોયા બાદ તેના ફેન્સ હવે ભૂલ ભુલૈયા ૩ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં અન્ય કોણ કોણ જોવા મળશે તે જાણવા ચાહકોને પણ ખૂબ જ રસ છે. હાલમાં એવા અહેવાલો છે કે ફિલ્મનું શૂટિંગ માર્ચમાં શરૂ થવાનું છે.

અનીસ બઝમી આ ફિલ્મનું નિર્દેશન કરશે. આ ફિલ્મમાં ઘણા Âટ્‌વસ્ટ ઉમેરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, સારા અલી ખાનને ભૂલ ભુલૈયા ૩માં કાસ્ટ કરવામાં આવી હોવાના અહેવાલ હતા. જોકે, મેકર્સ હજુ પણ ઘણા નામો પર વિચાર કરી રહ્યા છે.

ભૂલ ભૂલૈયા ૨ના કલેક્શનની વાત કરીએ તો તેણે ભારતમાં ૧૮૫.૯૨ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. શરૂઆતમાં લોકોને લાગતું હતું કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ જશે. પરંતુ આ ફિલ્મે બધાને ખોટા સાબિત કર્યા છે અને વિશ્વભરમાં ૨૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો હતો.

ભૂલ ભુલૈયા ૨નું નિર્દેશન અનીસ બઝમીએ કર્યું છે. કાર્તિક ઉપરાંત કિયારા અડવાણી, તબ્બૂ, રાજપાલ યાદવ અને સંજય મિશ્રા પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ૨૦ મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ૨૦૦૭માં આવેલી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા’ની સિક્વલ છે. કાર્તિકના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે હાલમાં ફિલ્મ ‘શહેજાદા’ના શૂટિંગમાં વ્યસ્ત છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.