Western Times News

Gujarati News

આદિત્ય સાથેની અંગત તસવીરો વાયરલ થવા અંગે અનન્યાએ કહ્યું, “આ બાબતોથી ફરક નથી પડતો”

મુંબઈ, અનન્યા પાંડેએ ૨૦૧૯ની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર ૨’થી બોલિવૂડમાં શાનદાર એન્ટ્રી કરી હતી. તાજેતરમાં, અનન્યા પાંડે નેટફ્લિક્સ ફિલ્મ ‘ખો ગયે હમ કહાં’માં જોવા મળી હતી અને આ ફિલ્મમાં તેના શાનદાર અભિનયથી તેણે દર્શકોની સાથે સાથે વિવેચકોને પણ પ્રભાવિત કર્યા હતા.

હાલમાં જ શોશા સાથેની ખાસ વાતચીત દરમિયાન અભિનેત્રીએ પોતાની અંગત અને પ્રોફેશનલ લાઈફ વિશે ખુલીને વાત કરી છે. ગયા વર્ષે અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરની ઘણી અંગત તસવીરો સોશિયલ મીડિયા પર લીક થઈ હતી. જ્યારથી આ તસવીરો સામે આવી છે, ત્યારથી આ કપલના સંબંધો વિશે અટકળોએ જોર પકડ્યું છે.

ગયા વર્ષે વાયરલ થયેલા ફોટામાં અનન્યા પાંડે તેના બોયફ્રેન્ડ સાથે વેકેશન મનાવતી જોવા મળી હતી જે તેના કરતા ૧૩ વર્ષ મોટો છે. આ તસવીરો લીક થવા અંગે વાત કરતાં અનન્યા પાંડેએ જણાવ્યું કે, હવે આ બધી બાબતોથી તેના માટે બહુ ફરક નથી પડતો.

અભિનેત્રી કહે છે કે, જ્યારે તેણે ઈન્ડસ્ટ્રીમાં આવવાનું નક્કી કર્યું ત્યારે તે જાણતી હતી કે તેણે આ બધું સહન કરવું પડશે. અનન્યા પાંડે વધુમાં કહે છે કે, ‘જ્યારે તમે અભિનેતા હો ત્યારે લોકો તમારા વિશે જાણવા માગે છે અને તમારી અંગત જિંદગી વિશે હંમેશા ઉત્સુક હોય છે.’

જો કે, તેણીએ વધુમાં જણાવ્યું હતું કે, તેણી તેના અંગત જીવનને લોકોની નજરથી દૂર રાખવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરે છે અને ઇચ્છે છે કે તેના ચાહકો આ સમજે. અનન્યા પાંડે વધુમાં કહે છે કે, ‘મારા કંટ્રોલમાં જે છે તેને જ હું કંટ્રોલ કરી શકું છું, પરંતુ હું તેનાથી દુખી નથી થઈ શકતી કારણ કે તે મારા પ્રોફેશનનો એક ભાગ છે.’ અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર પોતાની લાઈફને કારણે ઘણીવાર ટ્રોલનો શિકાર બને છે.

અનન્યા પાંડેએ પીટીઆઈને આપેલા એક જૂના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જો તેણે ટ્રોલ્સ પર ધ્યાન આપ્યું હોત તો તે તેની કારકિર્દીમાં આગળ વધી શકી ન હોત. તેણે કહ્યું હતું કે, ‘મારી સાથે અત્યાર સુધી જે કંઈ પણ થયું છે તેના માટે હું ખૂબ જ આભારી છું. હું મારા કામ દ્વારા મારી જાતને વ્યક્ત કરું છું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.