Western Times News

Gujarati News

સુરતમાં GST તપાસમાં ૨૦૦ કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું

૩૪ પેઢીનાં ૮ સંચાલકો સામે ગુનો દાખલ

ટોળકીએ કોના આધારકાર્ડ તેમજ બીજા ડોક્યુમેન્ટનો ઉપયોગ કર્યો તે સમગ્ર ઘટના અંગે ઇકો સેલની ટીમે તપાસ શરુ કરી છે

સુરત, સુરતમાં સીજીએસટીની તપાસમાં ૨૦૦ કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ખૂલ્યું છે. ખોટી રીતે ૨૨ કરોડની આઈટીસી લેનાર ૩૪ પેઢીના ૮ સંચાલકો સામે ગુનો દાખલ થયો છે. પહેલી વખત CGST ના અધિકારી ફરિયાદી બન્યા છે. ભંગાર, લાકડા અને કેમિકલના બિલો બનાવ્યાં હતાં. આ ચીટર ટોળકીઓએ જે પેઢી બનાવી હતી તેમાં મુખ્યત્વે ભંગારનો વેપાર બતાવ્યો હતો. આ ઉપરાંત ટોળકીએ વાપીમાં જે બીલો મોકલાવ્યા હતા તેમાં કેમીકલના બીલો હતાં.

નવસારીમાં વેપારીઓને લાકડાના બીલો મંગાવીને બોગસ બીલીંગ કર્યું હતું. આ ટોળકીએ કોના આધારકાર્ડ તેમજ બીજા ડોક્યુમેન્ટનો ઉપયોગ કર્યો તે સમગ્ર ઘટના અંગે ઇકો સેલની ટીમે તપાસ શરુ કરી છે. એક આરોપીની અટક કરી વધુ તપાસ હાથ ધરાઈ છે. આ પહેલા જીએસટી વિભાગે ઠેર ઠેર દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી, આ ક્રમમાં હાલમાં જ સુરતમાં ઓછુ જીએસટી ફાઇલ કરનારાઓ સામે કડક હાથે કામ લેવાનું શરૂ કરાયુ છે. જીએસટી વિભાગે ઓછુ જીએસટી ભરનારાઓને નાટિસ ફટકારી છે, લગભગ પાંચ હજારથી વધુ વેપારીઓને આ નાટિસ ફટકારવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, સુરતમાં જીએસટી વિભાગે એક્શન લેવાનું શરૂ કર્યુ છે, સુરતના વેપારીઓ પર જીએસટી વિભાગે શિકંજો કસવાનું શરૂ કર્યુ છે, જેમાં જેને પણ ઓછો જીએસટી ભર્યો છે, તેવા વેપારીઓને કર ભરવા માટે નાટીસ ફટકારવામાં આવી છે. સુરતમાં ૫ હજારથી વધુ વેપારીઓને જીએસટીએ નોટીસ પાઠવી છે. ૨૦૧૭-૧૮ની સ્ક્રૂટીની કરવાની મુદત પૂર્ણ થાય તે પહેલા કાર્યવાહી કરી છે. વર્ષ ૨૦૧૭માં જીએસટી લાગુ કરવામાં આવ્યુ છે. પ્રથમ ૮ મહિનામાં ટેક્સની રકમ ગણતરી કરીને યોગ્ય ભરપાઈ નથી કરી તે તમામ વેપારીઓને નાટિસ મોકલાઈ છે. આ ઉપરાંત શહેરમાં ૫૦૦થી વધુ કરદાતાઓને ટેક્સ ભરપાઈ કરવા માટે પણ નાટીસ મોકલાઈ છે.

જો ૫૦૦થી વધુ વેપારીઓ ટેક્સ નહીં ભરે તો તેમની મિલકત પર બોજો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરાશે. આ પહેલા સુરતમાં હીરાદલાલના નામે ય્જી્‌ નંબર મેળવી મિત્રના ભાઈએ ૧૫.૧૭ કરોડના બોગસ બિલો બનાવ્યા હતા. આ અંગે સુરત ક્રાઈમ બ્રાંચમાં ૫ સામે ગુનો દાખલ થતાં તપાસ ઈકો સેલને સોંપાઈ હતી. જેમાં એક આરોપીની કરવામાં આવી હતી. ભાવેશ ઉર્ફે મુસો અગાઉ ડેટા આપવાના ગુનામાં સાયબર ક્રાઇમમાં પકડાયો હતો. કતારગામમાં હીરા દલાલે પોતાના નામે જીએસટી નંબર લઈ મિત્રના ભાઈને આપ્યો હતો. જેમાં તેની જાણ બહાર ૧૫.૧૭ કરોડના બોગસ બિલોના ટ્રાન્જેકશનો થયા હતા. મિત્રએ હાથ ઊંચા કરતા હીરાદલાલે ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ આપી હતી. આ કેસની તપાસ ઈકોસેલને સોંપવામાં આવી હતી, ઇકોસેલ પોલીસે મનોજ કેવડીયાની ધરપકડ કરી હતી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.