Western Times News

Gujarati News

કંગના રનૌતે ટેકનોલોજીની તુલના સત્યયુગ સાથે કરી

મુંબઈ, એલન મસ્કે હાલમાં એક એવી ટેક્નોલોજી વિશે જણાવ્યું કે જેના દ્વારા માણસ પોતાના મનથી ફોન અને કોમ્પ્યુટર ઓપરેટ કરી શકશે અને વિચાર પણ કરી શકશે. આને લઈને કંગના રનૌતે પ્રતિક્રિયા આપી છે.

કંગનાએ આ ટેક્નોલોજીના વખાણ કર્યા અને તેની તુલના સત્યયુગ સાથે પણ કરી. કંગનાએ કહ્યું કે સત્યયુગમાં તમામ દેવતાઓ અને ઋષિઓએ આ ટેકનિકનો ઉપયોગ કર્યો હતો.

એલન મસ્કની કંપની ‘ન્યુરાલિંક કોર્પ’એ મનુષ્ય મગજમાં એક ચિપ લગાવવાનો દાવો કર્યો હતો. કંપનીએ કહ્યું કે તેને હાલમાં જ પહેલી મનુષ્યમાં મગજની ચિપ લગાવી છે.

આ પછી મનુષ્ય દર્દી ઝડપથી સ્વસ્થ થવા લાગ્યો. કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે બ્રેઈન ચિપ ઈન્સ્ટોલ કર્યા બાદ માણસ પોતાના મગજથી જ ફોન અને કોમ્પ્યુટર ઓપરેટ કરી શકશે. રિપોર્ટ છે કે આ પહેલી ન્યુરાલિંક પ્રોડક્ટને ટેલિપેથી કહેવામાં આવશે. કંગના રનૌતે આને લઈને પ્રતિક્રિયા આપી.

કંગના રનૌતે એલોન મસ્કનું ટ્‌વીટ જોયું અને તેને તેના એકાઉન્ટ પર શેર કર્યું. સાથે જ લખ્યું કે ‘સતયુગને મુખ્યત્વે આ ટેક્નોલોજી એટલે કે બોલ્યા વગર વાતચીત કરવાની ક્ષમતાને કારણે યાદ કરવામાં આવે છે.

જો આપણે આપણા જીવનકાળમાં જોઈએ તો દેવતાઓ, ઋષિઓ અને અન્ય ઘણા જીવો આપણા ગ્રંથોમાં જે તકનીકોનો ઉપયોગ કરે છે તેની કલ્પના કરવી અશક્ય નથી. આ એટલા માટે છે કારણ કે મોટાભાગના નાÂસ્તકો કહેવાતા લોકો માટે સૌથી મોટો પડકાર એ છે કે તેઓએ જે જોયું કે સાંભળ્યું નથી તે સમજી શકતા નથી, કારણ કે તેઓ આપણા શાસ્ત્રોમાં લખેલી દરેક વસ્તુને ખોટી માને છે. તેના પર વિશ્વાસ નથી કરતા. પરંતુ હવે તે દૂર નથી.

તમને જણાવી દઈએ કે એલન મસ્કે પહેલા બ્રેઈન ચિપ વિશે પોતાના ટ્‌વીટમાં કહ્યું હતું કે બ્રેઈન ચિપ ઈન્સ્ટોલ થયા બાદ કોઈપણ ફોન, કોમ્પ્યુટર કે ડિવાઈસને વિચારીને જ ઓપરેટ કરી શકાય છે. પ્રારંભિક યુઝર્સ તે હશે જેમણે તેમના હાથ અને પગ ગુમાવ્યા છે.

વર્કફ્રન્ટની વાત કરીયે તો કંગના રનૌત ટૂંક સમયમાં ફિલ્મ ‘ઈમરજન્સી’માં જોવા મળશે. આ ફિલ્મમાં તે ઈÂન્દરા ગાંધીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં કંગના એક્ટિંગની સાથે ડાયરેક્શન પણ કર્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.