Western Times News

Gujarati News

હજુ ૩૦-૩૫ વર્ષ સુધી નિવૃતિ નહીં લઉં: શાહરૂખ ખાન

મુંબઈ, શાહરૂખ ખાન જ્યારે થોડા સમય માટે ફિલ્મોમાંથી બ્રેક લે છે ત્યારે ચાહકો નારાજ થઈ જાય છે. ચાહકો ઈચ્છે છે કે કિંગ ખાન ફિલ્મો કરતો રહે. હવે તાજેતરમાં જ શાહરૂખે તેના પ્રશંસકોને તેની નિવૃત્તિ મામલે એક સંદેશ આપ્યો છે.

શાહરૂખ ખાને તેની કારકિર્દીમાં અત્યાર સુધી ઘણી હિટ ફિલ્મો આપી છે. થોડા સમય પહેલા તેની ફિલ્મોનો જાદુ બોક્સ ઓફિસ પર ઓસરી ગયો હતો. જોકે, લાંબા વિરામ બાદ શાહરૂખે ગયા વર્ષે ધમાકેદાર પુનરાગમન કર્યું હતું. તેણે પઠાણ, જવાન અને ડંકી જેવી ૩ સુપરહિટ ફિલ્મો આપી. હવે જ્યારે શાહરૂખને તાજેતરમાં તેની નિવૃત્તિ વિશે પૂછવામાં આવ્યું, તો જાણો કિંગ ખાને તેની છેલ્લી ફિલ્મ વિશે શું કહ્યું.

શાહરૂખે કહ્યું, ‘સૌથી પહેલા તો હું હજુ ૩૦-૩૫ વર્ષ સુધી ફિલ્મોમાં કામ કરવાનું નથી છોડવાનો. હું અત્યારે નિવૃત્તિ લેવાનું વિચારતો નથી. જોકે હું ઈચ્છું છું કે મારી છેલ્લી ફિલ્મ બધાને, આખી દુનિયાને પસંદ આવે.

આ સમય દરમિયાન, તેણે દર્શકોને ઉર્દૂ અને અરબી શીખવાનું પણ કહ્યું છે જેથી તેઓ તેમની છેલ્લી ફિલ્મ સમજી શકે. શાહરૂખના નિવેદનથી સ્પષ્ટ છે કે અભિનેતા ઇચ્છે છે કે તેની છેલ્લી ફિલ્મ આખી દુનિયા સુધી પહોંચે અને દરેકને સમજાય.

તમને જણાવી દઈએ કે આ ઈવેન્ટ દરમિયાન કિંગ ખાને જણાવ્યું હતું કે તેની ફિલ્મ રિલીઝ થતા પહેલા તે ૨ કે ૨.૫ કલાક સુધી સ્નાન કરે છે. તેણે કહ્યું, ભારતમાં ફિલ્મો શુક્રવાર કે ગુરુવારે સાંજે રિલીઝ થાય છે. તેથી ફિલ્મ રીલિઝ થાય તે પહેલા હું ઘરે ૨ થી ૨.૫ કલાક સુધી સ્નાન કરી લઉં છું અને મારા બધા કામ કાઢી લઉં છું. આનાથી મને ખૂબ સારું લાગે છે.

શાહરૂખ હવે કિંગ ફિલ્મમાં જોવા મળવાનો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ એક્શનથી ભરપૂર હશે. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મમાં શાહરૂખની દીકરી સુહાના પણ હશે. જોકે અભિનેતાએ પોતે આ અંગે કોઈ માહિતી આપી નથી, પરંતુ હવે ચાહકો માત્ર કિંગ ખાનની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.