Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ.સીટી ઈજનેરને રોડ કૌભાંડ મુદ્દે ‘ચાર્જશીટ’

File

ત્રણ એડીશ્નલ, ચાર ડેપ્યુટી ઈજનેર, સાત આસિસ્ટન્ટ સીટી ઈજનેર તથા નવ આસિસ્ટન્ટ ઈજનેરને
ચાર્જશીટ : અન્ય ત્રણ એડીશ્નલને રૂ.બે લાખ સુધીના દંડ કરી દોષમુક્ત જાહેર કરાયા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ર૦૧૭ની સાલમાં ભારે વરસાદના કારણે રોડ-રસ્તા તૂટી ગયા હતા. જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનને કરોડો રૂપિયાનું આર્થિક નુકશાન થયુ છે. તદુપરાંત વોર્ડ લેવલના કેટલાંક ઈજનેર કર્મચારીઓ તથા કોન્ટ્રાક્ટરોએ મેળાપીપણા કરીને ડામરના બોગસ બીલ બનાવીને આર્થિક ગેરરીતિ આચરી હતી. રોડ-રસ્તાના કામમાં થયેલ કૌભાંડ મુદ્દે એ સમયે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી પણ થઈ હતી.

જેના કારણે, મનપાને વિજીલન્સ તપાસ કરાવવાની ફરજ પડી હતી. મ્યુનિસિપલ વિજીલન્સ તપાસમાં દોષિત સાબિત થયેલ ઈજનેર અધિકારીઓને દંડ તથા ઈન્ક્રીમેન્ટ કપાતની સજા કરવામાં આવી હતી. ત્યારબાદ તપાસની ફાઈલ અભરાઈએ મુકવાના પ્રયાસ થયા હતા. રોડ કૌભાંડમાં મોટામાથાઓનો પણ સમાવેશ થતો હોવાથી ઉચ્ચ કક્ષાએથી તપાસ આટોપવાની તમામ તૈયારરીઓ થઈ ચુકી હતી.

પરંતુ નવા પશ્ચિમ ઝોનની મીટીંગમાં રોડ મુદ્દે તડાફડી થયા બાદ ‘સ્ટેપીડ’ વિવાદ થયો હતો. આ વિવાદથી બચવા માટે મ્યુનિસિપલ કમિશ્નરે તે જ દિવસે ડપ્યુટી કમિશ્નર (વિજીલન્સ) દ્વારા ર૩ અધિકારીઓને ચાર્જશીટ આપવાની જાહેરાત કરી હતી. જેનો અમલ કરતા ર૩ ઈજનેર અધિકારીઓને વિધિવત રીતે ચાર્જશીટ આપવામાં આવી છે. જેમાં મ્યુનિસિપલ સીટી ઈજનેર અને સીટી ઈજનેર (રોડ-પ્રોજેક્ટ) નો પણ સમાવેશ થાય છે. મ્યુનિસિપલ કમિશ્નરે નવા પશ્ચિમ ઝોન, પશ્ચિમ ઝોન અને રોડ પ્રોજેક્ટ વિભાગના તત્કાલીન ઈજનેર અધિકારીઓને ચાર્જશીટ આપી છે. જ્યારે અન્ય ઝોનના એડીશ્નલ અને ડેપ્યુટી કક્ષાના અધિકારીઓને પેનલ્ટી કરીને મુક્ત કરવામાં આવ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બહુચર્ચિત રોડ કૌભાંડની તપાસનો અંત આવ્યો છે તથા કસુરવાર સાબિત થયેલ ઈજનેર અધિકારીઓને દંડ અને ચાર્જશીટ આપવા સુધીની સજા કરવામં આવી છે. મ્યુનિસિપલ વિજીલન્સ તપાસ પૂર્ણ થયા બાદ સજાના પ્રથમ ભાગમાં વોર્ડ લેવલના અધિકારીઓને રૂ.પ૦ હજાર સુધીનો દંડ કરવામાં આવ્યો હતો. સજાના બીજા ભાગમાં દોષિત અધિકારીઓના ઈજાફા કાપી લેવામાં આવ્યા હતા. જ્યારે ત્રીજા અને અંતિમ ભાગમાં ર૩ અધિકારીઓને. ચાર્જશીટ આપવામાં આવી હતી. તેમની તપાસ માટે નિવૃત્ત જજની નિમણુંક કરવામાં આવશે.


ર૦૧૭ના વર્ષમાંં રોડ તૂટવા બદલ એડિશ્નલ ઈજનેર કક્ષાના ૭ અધિકારીઓને નોટીસ આપવામાં આવી હતી. જે પૈકી પીએ પટેલ ચાર્જ સંભાળતા હતા જ્યારે અન્ય ૬ એડિશ્નલ પૈકી ત્રણને દંડ કરી દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા છે.

જયારે ત્રણ એડીશ્નલ અધિકારીને ચાર્જશીટ આપવમાં આવી છે. જે ઉચ્ચ અધિકારીઓન ચાર્જશીટ આપવામાં આવી છે તેમાં વર્તમાન સીટી ઈજનેર નરેન્દ્રભાઈ કે મોદી તથા રોડ પ્રોજેક્ટનો હવાલો સંભાળતા હિતેષ કોન્ટ્રાક્ટરના નામ મુખ્ય છે. નોંધનીય છે કે મ્યુનિસિપલ કમિશ્નરે જ નરેન્દ્ર ભાઈ મોદીને સીટી ઈજનેર પદે પ્રમોશન આપ્યુ છે

તેમની સામે વિજીલન્સ તપાસ ચાલી રહી હોવા છતાં અગમ્ય કારણોસર તેમને પ્રમોશન આપવામાં આવ્યુ હતુ. સીટી ઈજનેર એક વર્ષમાં નિવૃત્ત પણ થઈ રહ્યા છે. તેથી તપાસ સમયસર પૂર્ણ નહીં થાય તો ભૂતકાળમાં અનેક કિસ્સામાં થયુ છે તેમ કોઈપણ પ્રકારના લાભ રોક્યા વિના માનભેર વિદાય થાય એવી પણ દહેશત વ્યક્ત કરાઈ રહી છે.

મ્યુનિસિપલ કમિશ્નરે થોડા સમય પહેલાં જ ઈજનેર ખાતામાં બદલીનો ગંજીફો ચીપ્યો છે. જેમાં રોડ પ્રોજેક્ટનો હવાલો સંભાળતા ઈન્ચાર્જ સીટી ઈજનેરને બિલ્ડીંગ પ્રોજેક્ટ તથા જનમાર્ગની વધારાની કામગીરી સોંપીને તેમનું બહુમાન કરવામાં આવ્યુ હતુ. હવે તેમને પણ ચાર્જશીટ આપવામાં આવી છે. એવી જ રીતે હરપાલસિંહ ઝાલાને પણ પાણી ખાતાનો તમામ હવાલો સોંપી તેમની પણ કદર કરી હતી.

મ્યુનિસિપલ કમિશ્નરે જે ત્રણ એડીશ્નલને રાહત આપી છે તેમાં રાખીબેન ત્રિવેદી, એચ.ટી.મહેતા અને અમિત પટેલનો સમાવેશ થાય છે. ડેપ્યુટી ઈજનેર અધિકારી પી.એ.પટેલને તે સમયે એડિશ્નલનો ચાર્જ સંભાળતા હતા તેમને પણ દંડ કરવામાં આવ્યો છે. એડીશ્નલ ઈજનેર અધિકારીઓને રૂ.૧.૮૦ લાખથી રૂ.ર.રપ લાખ સુધીનો દંડ કરવામાં આવ્યો છે!!

મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ કૌભાંડમાં ડેપ્યુટી ઈજનેર કક્ષાના ચાર આસિસ્ટન્ટ સીટી ઈજનેર કક્ષાના સાત તથા આસિસ્ટન્ટ ઈજનેર કક્ષ+ાના નવા અધિકારીઓને પણ ચાર્જશીટ આપવામાં આવી છે.

આ તમામ અધિકારીઓ તે  સમયે પશ્ચિમ, નવા પશ્ચિમ ઝોન તથા રોડ પ્રોજેક્ટ ખાતામાં ફરજ બજાવતા હતા. પશ્ચિમ ઝોન અને નવા પશ્ચિમ ઝોનમાં આકાશ ઈન્ફ્રાસ્ટ્‌કચર અને જી.પી. ચૌધરીએ રોડ બનાવ્યા હતા. જેમાં હલકી ગુણવતાના માલ સામાન તથા બોગસ બિલીંગ જેવી ગેરરીતિઓ પણ આચરી હોવાનું બહાર આવતા બંન્ને કોન્ટ્રાક્ટરોને બ્લેકલીસ્ટ જાહેર કરવામાં આવ્યા છે.

આ બંન્ને કોન્ટ્રાક્ટરોએ આચરેલી ગેરરીતિમાં રહેમનજર દાખવનાર ઉચ્ચ અધિકારીઓને ચાર્ઝશીટ આપવા સુધીની સજા થઈ છ તેમ સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ. ર૦૧૭માં મોટાપાયે રોડ તૂટ્યા બાદ પણ મનપાએ અસરકારક પગલાં લીધા નહોવાથી વડી અદાલતે લાલ આંખ કરી હતી. તથા કોન્ટ્રાક્ટરોના ખર્ચે અને જાખમે રોડ રીસરફેસ કરવા આદેશ કર્યો હતો. સાથે સાથે જવાબદાર અધિકારીઓ સામે વિજીલન્સ તપાસ કરવા માટે પણ આદેશ કર્યો હતો. વડી અદાલતના આદેશ બાદ ત્રણ કોન્ટ્રાક્ટરોને બ્લેક લીસ્ટ જાહેર કરવામાં આવ્યા હતા.

એડિશ્નલ ઈજનેર અધિકારીઓ ને ૪૦ તથા ડેપ્યુટી ઈજનેર અધિકારીઓને ૪૧ જેટલી નોટીસો આપવામાં આવી હતી. રોડ ગેરરીતિ, મામલે જે અધિકારીઓને સજા કરવામાં આવી છે તે પૈકી કેટલાંક અધિકારીઓ ખોટી રીતે દંડાયા હોવાનો અહેસાસ કરી રહ્યા છે. જયારે રાજકીય દબાણવશ કેટલાક ઉચ્ચ અધિકારીઓને ઓછી સજા કરીને રાહત આપવામાં આવી હોવાનું સુત્રોએે વધુમાં જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.