Western Times News

Gujarati News

લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં AAPના નેતાઓ વધુ ફસાયા

દિલ્હી હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો-અરવિંદ કેજરીવાલની ધરપકડ યોગ્ય-કેજરીવાલને ન મળી રાહત, હાઈકોર્ટે ફગાવી ધરપકડ-રિમાન્ડ સામેની અરજી

(એજન્સી)નવી દિલ્હી, દિલ્હીની લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર આજે (મંગળવાર, ૯ એપ્રિલ, ૨૦૨૪) હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. સીએમ કેજરીવાલે ધરપકડને પડકારતી અરજી કોર્ટમાં કરી હતી.દિલ્હી હાઈકોર્ટે એક્સાઈઝ પોલિસી મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમની ધરપકડને પડકારતી સીએમ અરવિંદ કેજરીવાલની અરજીને ફગાવી દીધી છે. ઈડી પાસે પૂરતી સામગ્રી હતી

જેના કારણે તેમને કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલ દ્વારા તપાસમાં ન જોડાવું, તેના કારણે વિલંબથી ન્યાયિક કસ્ટડીમાં રહેલા લોકો પર પણ અસર પડી રહી છે, એમ દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું.

દિલ્હી હાઈકોર્ટે ધરપકડને પડકારતી અરવિંદ કેજરીવાલની અરજી ફગાવી દીધી હતી. દિલ્હી હાઈકોર્ટે સ્વીકાર્યું કે ઈડી દ્વારા કરાયેલી ધરપકડ કાયદેસર છે. કોર્ટે કહ્યું કે જો જરૂર પડશે તો ઈડી ધરપકડ કરી શકે છે. દિલ્હી હાઈકોર્ટે પણ ટ્રાયલ કોર્ટ દ્વારા ઈડીને આપેલા રિમાન્ડના આદેશને યથાવત રાખ્યો છે. આ સાથે અરવિંદ કેજરીવાલને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાના નિર્ણયને પણ યથાવત રાખવામાં આવ્યો છે.

આદેશ આપતાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે આ જામીનનો મામલો નથી. અરજીમાં ઈડી દ્વારા ધરપકડને પડકારવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તપાસ જલ્દી પૂરી કરવામાં આવે અને અરવિંદ કેજરીવાલ સમન્સ પર હાજર થયા ન હતા. કોર્ટને રાજકારણ સાથે કોઈ સંબંધ નથી. કોર્ટ કાયદા પ્રમાણે કામ કરે છે. આ પહેલા પણ રાજકારણીઓ સાથે જોડાયેલા મામલા સામે આવ્યા છે અને કોર્ટે કાયદા અને બંધારણ મુજબ કામ કર્યું છે.

ઈડીની દલીલ છે કે અત્યાર સુધીના પુરાવા દર્શાવે છે કે કેજરીવાલ આપના કન્વીનર છે. ગોવાની ચૂંટણીમાં ૪૫ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. કેજરીવાલના વકીલે આનો વિરોધ કર્યો હતો. સરકારી સાક્ષી બનવાનો નિર્ણય કોર્ટ દ્વારા લેવામાં આવે છે તપાસ એજન્સી દ્વારા નહીં. જો પ્રશ્ન ઊભો થાય તો સવાલ કોર્ટ સામે જ ઉભો થાય છે.

શરથ રેડ્ડીએ ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા બીજેપીને પૈસા આપ્યા, તેનાથી આ કોર્ટને કોઈ લેવાદેવા નથી. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે આરોપી મુજબ તપાસ થઈ શકે નહીં. સરકારી વ્યક્તિ હોવાને કારણે કોઈને રાહત મળી શકે તેમ નથી. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે જો તપાસ એજન્સીને લાગે છે કે તપાસ માટે ધરપકડ જરૂરી છે તો તે ધરપકડ કરી શકે છે.

તેમની ધરપકડ ઉપરાંત, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે તેમને ઈડી કસ્ટડીમાં મોકલવા સામે પણ પડકાર ફેંક્યો છે. ઈડીની કસ્ટડી બાદ કોર્ટે કેજરીવાલને ૧૫ એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા . હાલ તે તિહાર જેલમાં બંધ છે.કેજરીવાલે કહ્યું કે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમની ધરપકડ કરવામાં આવી છે.

આ લોકશાહી, નિષ્પક્ષ ચૂંટણી અને સમાન તક સહિત બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન છે. જ્યારે ઈડીએ કહ્યું છે કે કાયદો દરેકને સમાન રીતે લાગુ પડે છે. ઈડીએ દાવો કર્યો છે કે દિલ્હી એક્સાઇઝ પોલિસી બનાવવામાં અને તૈયાર કરવામાં અનિયમિતતાઓ હતી. તેના મુખ્ય કાવતરાખોર અરવિંદ કેજરીવાલ છે. આ સિવાય આપના ઘણા મોટા નેતાઓ અને મંત્રીઓ આમાં સામેલ થયા છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ કેજરીવાલની અરજીનો વિરોધ કરતા કહ્યું છે કે ચૂંટણીના આધારે ધરપકડમાંથી મુક્તિ આપી શકાય નહીં, કારણ કે કાયદાની સામે દરેક સમાન છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.