Western Times News

Gujarati News

ભરૂચની વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોએ બનાવી મતદાન જાગૃત્તિનો સંદેશ આપતી ૩૫x૩૫ ફૂટની વિરાટ રંગોળી

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) (પ્રતિનિધિ) ભરૂચ, લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં વધુને વધુ મતદાન થાય, મતદારો જાગૃત્ત બની લોકશાહીના પર્વમાં સહભાગી બને એ માટે શક્તિનાથ વિસ્તારમાં આવેલી નારાયણ વિદ્યાલયની ૩૦ વિદ્યાર્થિનીઓ અને ૧૫ શિક્ષકોએ નારાયણ વિદ્યાલયની ફૂટની વિરાટ રંગોળી બનાવી મતદાન જાગૃત્તિનો અનોખો સંદેશ આપ્યો હતો.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરાએ નારાયણ વિદ્યાલયની મુલાકાત લઈ રંગોળી નિહાળી વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા આ વિરાટ રંગોળીની રચનામાં ૧૨ કલાકનો સમય લાગ્યો છે, અને ૨૦૦ કિલો રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના આમ મતદારો અચૂક અને મહત્તમ મતદાન કરે એ માટે રંગોળી દ્વારા મતદાન જાગૃત્તિનો પ્રયાસ સરાહનીય છે.તેમણે ગત વિધાનસભા ચૂંટણીમાં જિલ્લામાં ૬૭ ટકા મતદાન થયું હતું, જેમાં આ લોકસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારીમાં વધારો થાય એવા જિલ્લા ચૂંટણી તંત્રના પ્રયાસો હોવાનું જણાવી ઉમેર્યું કે,લોકોમાં ચૂંટણીમાં સહભાગિતા વધારી વોટર ટર્નઆઉટ વધારવાનું અમારું લક્ષ્ય છે.

કલેક્ટરે નારાયણ વિદ્યાલયની બાળાઓ અને શિક્ષકોની રંગોળી માટેની મહેનતને બિરદાવી હતી. તેમણે વિદ્યાર્થીઓ આવતીકાલના જવાબદાર નાગરિકો છે,એટલે જ તેઓ પણ ભવિષ્યમાં મતાધિકારનો ઉપયોગ અવશ્ય કરે એમ જણાવી એક મતદાર અન્ય પાંચ મતદારોને અચૂક મતદાન માટે પ્રેરણા આપે એવો ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.