Western Times News

Gujarati News

રાજકુમાર રાવને રૂ.૪૪ કરોડનું ઘર ખરીદવાની પ્રેરણા શાહરૂખે આપી

મુંબઈ, રાજકુમાર રાવે થોડા સમય પહેલા મુંબઈમાં રૂ.૪૪ કરોડનું ઘર ખરીદ્યુ હતું. આલિશાન મકાન ખરીદવાનો આ નિર્ણય પોતાની ક્ષમતા બહારનો હોવાનું રાજકુમારે સ્વીકાર્યું હતું, પરંતુ શાહરૂખ ખાનથી પ્રેરિત થઈને આ સાહસિક નિર્ણય લીધો હોવાનું રાજકુમાર રાવે જણાવયું હતું. શાહરૂખ ખાનની સલાહ અંગે વાત કરતા રાજકુમારે જણાવ્યુ હતું કે, શાહરૂખે એક બાબત શીખવાડી હતી.

બેટા કભી ઘર લેગા ના, તો ઔકાત સે થોડા ઝ્યાદા લેના. ક્યુંકિ ફિર ના ઉપરવાલા ભી દેખતા હૈ ઔર તુ ખુદ ભી ઝ્યાદા મહેનત કરેગા. શાહરૂખની આ સલાહ રાજકુમારના મનમાં ઘર કરી ગઈ હતી અને મકાન ખરીદતી વખતે તેણે સલાહનો અમલ પણ કર્યો હતો.

રાજકુમાર રાવે મુંબઈમાં ત્રણ માળનું મકાન ખરીદ્યું હતું. અગાઉ આ મકાન ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ કો-સ્ટાર જાન્હવી કપૂરનું હતું. જાન્હવીએ ડિસેમ્બર ૨૦૨૦માં રૂ.૩૯ કરોડમાં આ મકાન ખરીદ્યું હતું. તાજેતરમાં રાજકુમાર રાવે રૂ.૪૪ કરોડમાં આ મકાન ખરીદ્યં છે.

રાજકુમાર રાવે જણાવ્યું હતું, મુંબઈ શહેરમાં ઘર લેવાનું સપનું હતું અને તેને પ્રેમથી બનાવ્યું છે. રાજકુમાર-પત્રલેખા ટૂંક સમયમાં નવા ઘરમાં શિફ્ટ થવાના છે. રાજકુમાર રાવને આપેલી સલાહનો અમલ શાહરૂખ ખાને પોતાના જીવનમાં પણ કર્યો હતો.

શાહરૂખે મુંબઈમાં સી ફેસિંગ મન્નત બંગલો ખરીદ્યો ત્યારે તેની કિંમત ખૂબ વધારે હતી. શાહરૂખે પોતાની ક્ષમતા કરતાં વધારે મોંઘું મકાન ખરીદ્યુ હતું અને તેના રીનોવેશનમાં પણ જંગી ખર્ચ કર્યો હતો. મન્નત માટે ઈન્ટિરિયર ડિઝાઈનર સાથે ચર્ચા થઈ હતી.

ડિઝાઈનરે શાહરૂખની એક મહિનાની આવક કરતાં વધારે ફી માગી હતી, જેના કારણે શાહરૂખે પત્ની ગૌરીને જ મકાન ડિઝાઈન કરવા કહ્યું હતું. ગૌરીએ સૌ પ્રથમ પોતાના મકાનમાં ઈન્ટિરિયર ડિઝાઈન કર્યુ હતું અને ત્યાર બાદ તેમણે આ ક્ષેત્રમાં મોટું નામ કર્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.