Western Times News

Gujarati News

આમોદ નગરપાલિકાના પટાવાળાનું ચાલુ ફરજ દરમિયાન મોત થતાં પાલિકામાં ગમગીની.

(પ્રતિનિધિ)ભરૂચ, આમોદ નગરપાલિકામાં પટાવાળા તરીકે કાયમી ફરજ બજાવતા કર્મચારીનું પાલિકાના મુખ્ય અધિકારીની ઓફીસ બહાર બેઠા બેઠા જ મોત થયું હતું. જેથી પાલિકા કચેરીમાં ગમગીની ફેલાઈ ગઈ હતી.
આમોદ નગરપાલિકામાં કાયમી પટાવાળા તરીકે ફરજ બજાવતા મનહરભાઈ મંગળભાઇ રાવલ ઉર્ફે ભીખાભાઇ ઉ.વ.૪૮. આજ રોજ બપોરે ચાલુ ફરજ દરમિયાન મુખ્ય અધિકારીની કચેરી બહાર જ બેઠા બેઠા ઢળી પડ્‌યા હતા. જેથી આમોદ પાલિકાના અન્ય કર્મચારીગણ અને આસપાસના લોકોએ તેમને તુરંત જ પાલિકાની ગાડી મારફતે આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા.જ્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.આજે સાંજે છ કલાકે નીકળેલી તેમની અંતિમ યાત્રામાં આમોદ નગરપાલિકાના તમામ કર્મચારીઓ તેમજ પાલિકાના સદસ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.