Western Times News

Gujarati News

નાગરિક સુધાર કાનૂનને ઉદ્વવ ઠાકરેનું સમર્થન

File

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ નાગરિક સુધારા કાનૂનનું સમર્થન કર્યું છે. જો કે, ઉદ્ધવ ઠાકરેએ આની સાથે સાથે એનઆરસીનો વિરોધ કર્યો છે અને મહારાષ્ટ્રમાં એનઆરસીને લાગૂ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. શિવસેનાના મુખપત્ર સામનામાં આપેલી એક મુલાકાતમાં ઉદ્ધવ ઠાકરે દ્વારા આ મુજબની વાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં સત્તારુઢ મહાવિકાસ અઘાડી સરકારના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે, સીએએથી દેશના કોઇપણ નાગરિકની નાગરિકતા આંચકી લેવામાં આવનાર નથી.

અલબત્ત એનઆરસીને મહારાષ્ટ્રમાં લાગૂ કરવામાં આવનાર નથી. એનઆરસી લાગૂ થઇ ગયા બાદ હિન્દુ અને મુસ્લિમ  બંને માટે નાગરિકતા સાબિત કરવાની બાબત ખુબ મુશ્કેલરુપ બની જશે. બીજી બાજુ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં નિવેદનબાજીના કેન્દ્ર બની ગયેલા શાહીનબાગમાં આજે સવારથી જ જોરદાર હોબાળો થયો હતો. માર્ગને ખોલી દેવા માટે લોકો ખુલ્લીરીતે મેદાનમાં આવી ગયા છે.

સીએએ અને એનઆરસીની સામે છેલ્લા ૫૦ દિવસથી ધરણા પ્રદર્શન કરી રહેલા લોકોની સામે લોકો મેદાનમાં આવી ગયા છે. મોટાભાગના લોકો આસપાસના હોવાનું કહી રહ્યા છે. આ લોકોને ૫૦ દિવસથી રસ્તો બંધ હોવાના કારણે ભારે મુશ્કેલી નડી રહી છે. દિલ્હી ચૂંટણીમાં આ મુદ્દો જારદારરીતે ગરમી પકડી રહ્યો છે. આગામી દિવસોમાં પણ આને લઇને હોબાળો રહે તેવી શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.