Western Times News

Gujarati News

૨૦૦૨ના રમખાણોમાં વડાપ્રધાન મોદીને ક્લીનચીટ આપતી અરજી પર સુનાવણી ટળી

અમદાવાદ, ગુજરાતમાં ૨૦૦૨ના ગોધરા હત્યાકાંડ બાદ થયેલા રમખાણોની તપાસ કરનારી સીટના ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તત્કાલીન નરેન્દ્ર મોદી તેમજ અન્યોને ક્લીનચીટ આપવાની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રિમ કોર્ટે સુનાવણી ૧૪ એપ્રિલના રોજ ટાળી છે. જોકે, મંગળવારે જસ્ટિસ એ.એમ ખાનવિલકરની બેન્ચે અરજી કરનારા તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલની ગેરહાજરી પર સુનાવણી ટાળવાના આગ્રહને માની લીધું છે અને કહ્યું કે, આ કેસમાં ૬ વાર સુનાવણી ટાળવામાં આવી છે. અમે તેને કેટલા લાંબા સમય સુધી આવી રીતે જ રાખીશું. તમે અમને એક તારીખ જણાવો જેમાં બંને પક્ષ ઉપસ્થિત રહે. આમ, ગુલબર્ગ સોસાયટી રમખાણ અને હિંસા મામલામાં ઝાકિય જાફરી તરફથી અરજીમાં મંગળવારે સુપ્રિમ કોર્ટે સુનવણી ટાળી છે.

રમખાણો દરમિયાન થયેલો આગનો બનાવ અને હિંસામાં માર્યા ગયેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીની પત્નીએ આ મામલે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ મળવાની વિરુદ્ધ અરજી દાખલ કરી છે. હકીકતમાં ગુજરાત રાજ્ય તરફથી રજૂ થયેલ અર્પણા ભટ્ટે બેન્ચને જણાવ્યું કે, કપિલ સિબ્બલે સુનવણી ટાળવાનો આગ્રહ કર્યો છે. હકીકતમાં, ૩ ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ જસ્ટિસ એ.એમ ખાનવિલકર અને જસ્ટિસ હેમંત ગુપ્તાની બેન્ચે આ સુનવણી અરજી કરનાર ઝાકિયા જાફરી અને તિસ્તા સેતલવાડ માટે રજૂ થયેલ વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલના અનુરોધ પર સ્થગિત કરાઈ હતી.

સુનવણીમાં સિબ્બલે કહ્યું હતું કે, તેઓ આ સંબંધમાં મોટી માત્રામાં દસ્તાવેજ દાખલ કરવા માંગે છે, જેનાથી માલૂમ પડે છે આ એક મોટું ષડયંત્ર હતું. સિબ્બલે કહ્યું હતું કે, આ મામલો ગુલબર્ગ સોસાયટી સાથે જ જોડાયેલો નથી. આ પહેલા સુનવણીમાં સીટએ સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડની એનજીઓ સિટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ તરફથી અરજી દાખલ કરવાનો વિરોધ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.