Western Times News

Gujarati News

મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પર ઉદ્ધવ ઠાકરેનું ‘રોડરોલર’

મુંબઈ, વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને લઇને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ બહુ મોટું નિવેદન આપ્યું છે. શિવસેનાના મુખપત્ર સામનાને આપેલા ઇન્ટરવ્યુમાં ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે કે બુલેટ ટ્રેન અમારું નહીં પરંતુ કોઇ બીજાનું સપનું છે. બુલેટ ટ્રેનમાં રાજ્ય સરકારનો ૨૫ ટકા જ્યારે કે કેન્દ્ર સરકારનો ૭૫ ટકા હિસ્સો છે. મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેનનો મોટાભાગનો હિસ્સો છે. હવે જો બુલેટ ટ્રેનને મહારાષ્ટ્રમાં મંજૂરી ના મળે તો અમદાવાદથી મુંબઈ સુધી બુલેટ ટ્રેન દોડાવવાનું મોદી સરકારનું સપનું પડી ભાગશે.

ઉદ્ધવે કહ્યું કે મહારાષ્ટ્રમાં વિકાસનો રોડમેપ તૈયાર છે અને હવે એક પણ ઉદ્યોગ રાજ્ય બહાર નહીં જાય. બુલેટ ટ્રેન મહારાષ્ટ્રમાં આવશે કે નહીં તે સવાલના જવાબમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે રાજ્યની આર્થિક પરિસ્થિતિઓને જોતા વિકાસની પ્રાથમિકતા નક્કી કરવી જોઇએ. કોઇ ઓછા વ્યાજે કે વગર વ્યાજે લોન આપે એટલે જરૂરિયાત ન હોવા છતાં તે લઇ લેવી કેટલી વાજબી છે.

ખેડૂતોની જમીન છીનવીને બુલટે ટ્રેન સમાન ધોળો હાથી પાળવો બિલકુલ વાજબી નથી. ઉદ્ધવે સવાલ કર્યો કે બુલેટ ટ્રેનનો લાભ કોને મળશે. તેના કારણે અહીં કેટલા ઉદ્યોગ-ધંધામાં તેજી આવશે તે સમજાવો.જ્યારે ઉદ્ધવ ઠાકરેને પૂછવામાં આવ્યું કે આ પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે તો ઉદ્ધવે કહ્યું કે આ ડ્રીમ પ્રોજેક્ટ ભલે હોય. પરંતુ જ્યારે નીંદર ખુલે છે ત્યારે વાસ્તવિક સ્થિતિ સામે હોય છે સપનું નથી હોતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.