Western Times News

Gujarati News

સુરતઃ કારખાનામાં આગ લાગતાં બે લોકોનાં મોત

સુરત, સુરતના પુણાગામના આઇમાતા ચોક નજીક આવેલી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં બે લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે બે લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આગ લાગ્યાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ જાણવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં જ્યારે આગનો બનાવ બન્યો ત્યારે બે લોકો અંદરથી લોક મારીને સુતા હતા. બન્ને મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ફાયર વિભાગને ફેક્ટરીમાંથી ૭ જેટલા ગેસ સિલિન્ડર પણ મળી આવ્યા છે.પોલીસ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ આગ ઘટનામાં જે બે લોકોએ જીવ ગુમાવ્યો છે.તેઓ દુકાનને અંદરથી લોક મારીને ઊંઘી ગયા હતાં. અહીં સોઇંગ મશીન બનાવવાનાં કારખાનામાં લાગી હતી. પ્રાથમિક તારણ પ્રમાણે આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.આ અંગે તપાસ શરૂ કરાઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.