Western Times News

Gujarati News

મોબાઈલમાંથી સીમ કાઢી નાખશો તો ડીવાઈસ પર વોટ્સ એપ બંધ થઈ જશે

નવો નિયમ વોટ્‌સએપ, ટેલીગ્રામ, સીગ્નલ મેસેજીગ એપ્સનો લાગુ પડે છે.

સિમ કાર્ડ વિના વોટ્‌સએપ નહીં ચાલે

(એજન્સી)નવીદિલ્હી, તમે વોટસએપ યુઝર હોય તે તમારા માટે આ કામની વસ્તુ છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધું છે. કે સીમ-બાઈન્ડીગ નિયમમાં કોઈ છુટછાટ કે ઢીલ આપવામાં નહી આવે. તે નિયમ વોટ્‌સએપ, ટેલીગ્રામ, સીગ્નલ મેસેજીગ એપ્સનો લાગુ પડે છે. ડીજીટલ સુરક્ષાનો મજબુત કરવા આ નિયમ અમલી બની રહયો છે. કંપનીઓને ૧લી માર્ચથી અમલી થનારા આ નિયમોનું પાલન કરવું પડશે.

સરકારનું કહેવું છેકે તે એપ્સને સક્રીય સીમકાર્ડ સાથે જોડાયેલા રહેવું પડશે. તેથી કરીને વોટસએપ માટે ઉપયોગમાં લેવાતો નંબર અસલી અને એકિટવ છે તે જાણી શકાશે. મોબાઈલમાંથી સીમ દુર કરવામાં આવતાં જ ડીવાઈસ પર એપની સેવાઓ કામ નહી કરે. સીમ બાઈન્ડીગ એટલે તમે જે મોબાઈલ નંબર પરથી વોટ્‌સએપ એકાઉન્ટ બનાવ્યું હોય તે તે સીમ તમારા એપમાં એકટીવ રહેવી જ જોઈએ.

તે સિમ જો તમારા ફોનમાં નહી હોય તો પછી સીમ બંધ કરી દેવામાં આવી હશે તો વોટ્‌સએપ કામ નહીક રે. અત્યારસુધી મેસેજીગ એપમાં ૬ ડીજીટલનો ઓટીપી નાખીને એકવાર લોગીન થયા પછી સિમની હાજરી સતત ચેક નહોતી થતી. નવો નિયમ કહે છેકે વોટ્‌સએપ માટે સીમ એકિટવપણે ફોનમાં હાજર હોવી જોઈએ.

સરકારે ડીજીટલ છેતરપીડી નકલી નંબરોના દુરુપયોગ અને સાઈબર અપરાધને રોકવા માટે નિયમમાં હવે ફેરફાર કર્યો છે. નવા નિયમને પગલે તમામ એકાઉન્ટ એક વેરીફાઈડ સીમ સાથે સંકળાયેલું હશે ફેક એકાઉન્ટની ઓળખ તેથી સરળ બની રહેશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.