ઈરાનના ખૌન્દાબ હેવી વોટર પ્લાન્ટને ભારે નુકસાન, હવે કાર્યરત નથી: IAEA
સેટેલાઇટ ઈમેજના સ્વતંત્ર વિશ્લેષણ અને પ્લાન્ટની સ્થિતિના આધારે એ વાતની પુષ્ટિ થાય છે કે ૨૭ માર્ચે જે પ્લાન્ટ પર હુમલો થયો હતો, તેને ભારે નુકસાન પહોંચ્યું છે.
કુવૈતમાં ડિસેલિનેશન ફેસિલિટી પર થયેલા હુમલામાં એક ભારતીય નાગરિકના દુઃખદ અવસાન પર કુવૈત સ્થિત ભારતીય દૂતાવાસ ઊંડી સંવેદના વ્યક્ત કરી
વિયેના, ૩૦ માર્ચ: ઈરાનના મધ્ય ભાગમાં આવેલા ખૌન્દાબ (Khondab) સ્થિત હેવી વોટર પ્રોડક્શન પ્લાન્ટને ગંભીર નુકસાન થયું છે અને તે હવે કાર્યરત નથી, તેમ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) એ જણાવ્યું છે.
કુવૈત સ્થિત ભારતીય દૂતાવાસે સોમવારે એક વોટર ડિસેલિનેશન ફેસિલિટી (ખારા પાણીને મીઠું બનાવવાનો પ્લાન્ટ) પર થયેલા હુમલામાં એક ભારતીય નાગરિકના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. દૂતાવાસે જણાવ્યું છે કે તેઓ જરૂરી સહાય અને મદદ સુનિશ્ચિત કરવા માટે સંબંધિત અધિકારીઓના સતત સંપર્કમાં છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં દૂતાવાસે કહ્યું, “કુવૈતમાં ગઈકાલે એક ડિસેલિનેશન ફેસિલિટી પર થયેલા હુમલામાં એક ભારતીય નાગરિકના દુઃખદ અવસાન પર કુવૈત સ્થિત ભારતીય દૂતાવાસ ઊંડી સંવેદના વ્યક્ત કરે છે. દૂતાવાસ તમામ સંભવિત ટેકો અને સહાય પૂરી પાડવા માટે કુવૈતી સત્તાવાળાઓ સાથે નજીકથી સંકલન કરી રહ્યું છે.”
કુવૈત સરકારની જાહેરાત મુજબ, સોમવારે વહેલી સવારે ઈરાન દ્વારા પાવર અને વોટર ડિસેલિનેશન પ્લાન્ટ પર કરવામાં આવેલા હુમલામાં એક ભારતીય કામદારનું મોત થયું હતું. આ ઘટના સાથે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષમાં અત્યાર સુધીમાં જીવ ગુમાવનારા ભારતીય નાગરિકોની સંખ્યા વધીને ઓછામાં ઓછી આઠ થઈ ગઈ છે.
સેટેલાઇટ ઈમેજરી દ્વારા પુષ્ટિ
IAEA એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતા કહ્યું કે, “સેટેલાઇટ ઈમેજના સ્વતંત્ર વિશ્લેષણ અને પ્લાન્ટની સ્થિતિના આધારે એ વાતની પુષ્ટિ થાય છે કે ૨૭ માર્ચે જે પ્લાન્ટ પર હુમલો થયો હતો, તેને ભારે નુકસાન પહોંચ્યું છે. હાલ આ પ્લાન્ટ ચાલુ રાખવા માટે સક્ષમ નથી.” એજન્સીએ વધુમાં ઉમેર્યું કે આ પ્લાન્ટમાં કોઈ જાહેર કરેલ પરમાણુ સામગ્રી (Nuclear Material) નહોતી.
IAEA informed by Iran of a new strike in the area of the Bushehr Nuclear Power Plant, the third such incident in 10 days. No damage to operating reactor nor any radiation release reported, and condition of plant is normal, Iran says.
DG @rafaelmgrossi again expresses deep… pic.twitter.com/cGIUSZJMyV— IAEA – International Atomic Energy Agency ⚛️ (@iaeaorg) March 27, 2026
રેડિયેશનનું કોઈ જોખમ નથી
૨૭ માર્ચે ઈરાને પોતે જ માહિતી આપી હતી કે ખૌન્દાબ પ્લાન્ટ પર હુમલો થયો છે. જોકે, IAEA એ ખાતરી આપી છે કે આ હુમલાને કારણે રેડિયેશનનું કોઈ જોખમ ઊભું થયું નથી. નોંધનીય છે કે ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલા અમેરિકા-ઈઝરાયેલ-ઈરાન સંઘર્ષના ભાગરૂપે આ હુમલાઓ કરવામાં આવ્યા છે.
અન્ય ઔદ્યોગિક એકમો પર પણ હુમલા
ઈરાનના જણાવ્યા અનુસાર, ખુઝેસ્તાન સ્ટીલ પ્રોડક્શન ફેક્ટરી ને પણ નિશાન બનાવવામાં આવી હતી. આ ફેક્ટરીમાં ઔદ્યોગિક માપન માટે ‘કોબાલ્ટ-60’ અને ‘સીઝિયમ-137’ જેવા કિરણોત્સર્ગી સ્ત્રોતોનો ઉપયોગ થાય છે. સદનસીબે, ત્યાંથી પણ કોઈ રેડિયેશન લીકેજ થયું નથી અને પ્લાન્ટ હાલ સામાન્ય રીતે કાર્યરત છે.
બુશેહર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર જોખમ
IAEA એ શુક્રવારે બુશેહર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ નજીક વધતી જતી સૈન્ય ગતિવિધિઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. છેલ્લા ૧૦ દિવસમાં આ વિસ્તારમાં આ ત્રીજો હુમલો છે, જે પરમાણુ સુરક્ષાને લઈને વૈશ્વિક સ્તરે ચિંતા જન્માવી રહ્યો છે.
According to IRNA, the Shahid Khondab Heavy Water Complex in Arak and a yellowcake production plant in Yazd were targeted, with authorities saying no casualties or contamination risk were recorded.
