Western Times News

Gujarati News

અમદાવાદથી ભાવનગર વચ્ચે દોડતી તમામ પ્રીમીયમ એસી બસો હવે ‘ધોલેરા એક્સપ્રેસ હાઇવે’ પરથી દોડશે

પ્રતિકાત્મક

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે‘ ઉપરથી પણ નવી વોલ્વો સેવાનો પ્રારંભ-મુસાફરોના સમય અને ભાડા બંનેમાં થશે બચત

    નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરતા અમદાવાદથી ભાવનગર તરફ જતી અને આવતી તમામ પ્રીમીયમ એસી બસો હવે નવનિર્મિત અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે‘ ઉપરથી સંચાલિત કરવામાં આવશે. આ ઉપરાંત નવનિર્મિત દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે‘ ઉપરથી પણ નવી વોલ્વો સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ નવીન વ્યવસ્થા હેઠળઅમદાવાદ તેમજ ભાવનગર તરફથી દૈનિક ધોરણે સવારે ૫:૦૦ કલાકથી સાંજે ૬:૦૦ કલાક સુધી દર કલાકે સંચાલિત થતી કુલ ૨૪ ટ્રીપોગાંધીનગરથી દીવ અને ગાંધીનગરથી મહુવા રૂટની તમામ ટ્રીપો પણ આ નવા ધોલેરા એક્સપ્રેસ હાઇવે પરથી દોડશે. આ નિર્ણયના કારણે અમદાવાદથી ભાવનગરનું ભાડું ઘટીને હવે રૂ. ૩૩૬ થશેજેમાં મુસાફરોને અંદાજે રૂ. ૧૫ જેટલો ભાડા ઘટાડાનો લાભ મળશે.

આ ઉપરાંતભારત સરકાર દ્વારા નવનિર્મિત દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે‘ ઉપરથી પણ નવી વોલ્વો સેવાનો પ્રારંભ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે સવારે ૬:૪૫ કલાકે નહેરુનગર (અમદાવાદ) થી સુરત અને બપોરે ૧:૦૦ કલાકે સુરતથી નહેરુનગર (અમદાવાદ) વચ્ચે નોનસ્ટોપ વોલ્વો સર્વિસ‘ શરૂ કરવામાં આવી છે. આ નવિન રૂટના કારણે નહેરુનગરથી સુરતનું ભાડું રૂ. ૬૮૭ નિયત કરાયું છેજેનાથી મુસાફરોને અંદાજે રૂ. ૬૧ જેટલો ફાયદો મળશે.

આ તમામ રૂટોનું ઓનલાઇન એડવાન્સ બુકિંગ નિગમની સત્તાવાર વેબસાઇટ www.gsrtc.in તેમજ GSRTC મોબાઇલ એપ્લિકેશન (gsrtcapp) ઉપરથી કરી શકાશે. એસ.ટી. નિગમ દ્વારા તમામ મુસાફર જનતાને આ આધુનિક અને સુવિધાજનક પ્રીમીયમ સર્વિસોનો મહત્તમ લાભ લેવા વિનંતી કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.