Western Times News

Gujarati News

ગુજરાતમાં ‘ખેત બચાવ અભિયાન’ બનશે જન આંદોલન: આપણી ખેતી બચશે તો જ આપણી આવનારી પેઢી બચશે:– કૃષિ મંત્રી 

રાસાયણિક ખાતરોજંતુનાશકોના આડેધડ ઉપયોગથી જમીન  અને માનવ સ્વાસ્થ્ય પર મોટું જોખમ: કેન્સર જેવા ગંભીર રોગોનું પ્રમાણ વધ્યું:- કૃષિ મંત્રીશ્રી

પ્રાકૃતિક કૃષિને વેગ આપવા આગામી સમયમાં સરકારી કચેરીઓ, કલેક્ટર કચેરી અને મંડળીઓમાં પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો માટે વેચાણ કેન્દ્રો શરૂ કરાશે:- કૃષિ મંત્રીશ્રી

અમદાવાદ,  કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ગાંધીનગર જિલ્લાના શેરથા ગામથી રાજ્યવ્યાપી “ખેત બચાવો અભિયાન”ની શરૂઆત કરાવી હતી. આ અભિયાન સમગ્ર રાજ્યમાં ૧ જૂનથી ૩૦ જૂન૨૦૨૬ દરમિયાન યોજાશે. આ યોજના અંતર્ગત રાજ્યભરના કૃષિ વૈજ્ઞાનિકોકૃષિ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ગામે-ગામ જઈને ખેડૂતોને ‘ખેત બચાવો અભિયાન’ વિશે વિગતવાર માહિતગાર કરશે.

  કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતો અને પશુપાલકોને સંબોધતા જણાવ્યું હતું કેખેતી એ આપણા પૂર્વજોનો વારસો અને આપણો આત્મા છે. જો આજે આપણી ખેતીની જમીનને નહીં બચાવીએતો આવતીકાલે માનવજાત પણ નહીં બચે. આ અભિયાન માત્ર સરકારનો કાર્યક્રમ નથીપરંતુ આપણી ભવિષ્યની પેઢીને સુરક્ષિત કરવાનો એક ભગીરથ પ્રયાસ છે.

   મંત્રીશ્રીએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કેડી.એ.પી. અને યુરિયા જેવાં રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશક દવાઓના અતિરેક ઉપયોગને કારણે ધીરે-ધીરે જમીનની ફળદ્રુપતા નાશ પામી રહી છે. જમીનના માધ્યમથી આ રાસાયણિક તત્વો પશુઓ અને માતાના દૂધ સુધી પહોંચી ગયાં છેજેને કારણે નિર્દોષ બાળકો ગંભીર રોગોનો પણ ભોગ બની રહ્યાં છે. આજે કેન્સર જેવા અસાધ્ય રોગોના કેસ વધી રહ્યા છેજેનું મુખ્ય કારણ આપણી દૂષિત ખાણી-પીણી છે. ૫૦ વર્ષ પહેલાં આપણા વડીલોને કોઈ રોગ નહોતાજ્યારે આજે નાની ઉંમરે જ લોકો બ્લડપ્રેસરસુગર અને કિડનીની બીમારીઓથી પીડાઈ રહ્યા છે.

   કૃષિ મંત્રીશ્રીએ ગ્રામજનોને હૃદયપૂર્વક અપીલ કરતાં જણાવ્યું હતું કેજો ૧૦૦ ટકા શક્ય ન હોય તો શરૂઆતમાં પોતાની જમીનના ૨૫ ટકા ભાગમાં પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ અવશ્ય કરવો જોઈએ. પ્રાકૃતિક ખેતીથી ફાયદો જણાયા બાદ જ બીજી જમીનમાં આ પદ્ધતિ અપનાવવી જોઈએ. વધુમાંખેડૂતોએ રાસાયણિક ખાતરોનો ઉપયોગ માત્ર જરૂરિયાત પૂરતો અને સપ્રમાણ કરવા પણ મંત્રીશ્રીએ આગ્રહભરી વિનંતી કરી હતી.

   વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી હંમેશા પ્રાકૃતિક ખેતી પર ભાર મૂકે છેકારણ કે તેઓ રાસાયણિક ખેતીને કારણે ભવિષ્યમાં આવનારા સંકટને સ્પષ્ટ જોઈ રહ્યા છે. આજે ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં ૮ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી ચૂક્યા છેઅને ચાલુ વર્ષે વધુ ૫ લાખ ખેડૂતોને આ અભિયાન સાથે જોડવાનો રાજ્ય સરકારનો સંકલ્પ છે. આ ઉપરાંતકૃષિ વિભાગની ટીમ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે ૨૦ લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ પણ આપવામાં આવી છે.

   રાજ્ય સરકારે ખેડૂતોને પોતાના પ્રાકૃતિક ઉત્પાદનો વેચવામાં તકલીફ ન પડે તે માટે સર્ટિફિકેશન અને ઓનલાઈન વેચાણની સુવિધા ઊભી કરી છે. મંત્રીશ્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિત કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓને સૂચના આપતાં જણાવ્યું હતું કેકલેક્ટર કચેરીજિલ્લા પંચાયતમામલતદાર કચેરીઓ અને દૂધ મંડળીઓ ખાતે અઠવાડિયામાં બે દિવસ પ્રાકૃતિક ખેતીના શાકભાજીઅનાજ અને ફળોના વેચાણ કેન્દ્રો શરૂ કરવામાં આવે. આ સાથે જ તેમણે ઉચ્ચ અધિકારીઓને પણ પોતાના બંગલાના પટાંગણમાં પ્રાકૃતિક ખેતીના પ્રયોગો શરૂ કરી અન્યો માટે પ્રેરણારૂપ બનવા અનુરોધ કર્યો હતો.

   ‘બેટી બચાવોબેટી પઢાવો’ અભિયાનની જેમ જ ‘ખેત બચાવો અભિયાન’ને પણ એક જન આંદોલન બનાવવા માટે ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ આ પ્રસંગે આહ્વાન કર્યું હતું.

   આ પ્રસંગે નગરજનોને ‘વિશ્વ દૂધ દિવસ’ની શુભકામનાઓ પાઠવતા કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કેઆજે સમગ્ર વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાંથી ૨૫ ટકા ઉત્પાદન ભારતમાં થાય છેઅને તેમાં પણ આપણું ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકારનો એવો સંકલ્પ છે કેખેડૂતો ખેતીની સાથે પશુપાલન પણ અપનાવેજેથી તેમની આવકમાં મોટો વધારો થાયદેશને શુદ્ધ દૂધ મળી રહે તેમજ એક તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય.

   આ પ્રસંગે કૃષિ વિભાગના અગ્ર સચિવ શ્રી આર.સી. મીણાએ જણાવ્યું હતું કેસરકાર ખેડૂતોને આર્થિક ટેકો આપવા માટે રાહત દરે ખાતર ઉપલબ્ધ કરાવે છેપરંતુ તેનો આડેધડ ઉપયોગ જમીનની ફળદ્રુપતાને પણ ભારે નુકસાન પહોંચાડી રહ્યો છે. જેમ દવાનો ઓવરડોઝ શરીરને બીમાર કરે છેતેમ જ ખાતરોનો વધુ પડતો ઉપયોગ ખેતરને નુકસાન કરે છે. આથી ખેડૂતોએ નેનો યુરિયા અને નેનો ડી.એ.પી. જેવા આધુનિક વિકલ્પો અપનાવવા જોઈએ તેવો અગ્ર સચિવશ્રીએ અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું કેઆ અભિયાન હેઠળ રાજ્યના તમામ ગામોમાં કૃષિ વૈજ્ઞાનિકો અને અધિકારીઓ રૂબરૂ જઈને ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ તેમજ ખાતરના સપ્રમાણ ઉપયોગ અંગે માર્ગદર્શન આપશે.

   આ પ્રસંગે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે પ્રગતિશીલ ખેડૂતોને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતુંતેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને શાલ અને પ્રશસ્તિપત્ર આપી વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા.   

   આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશ પટેલગાંધીનગર કલેક્ટર શ્રી રવિન્દ્ર ખતાલેખેતી નિયામક શ્રી આર.પી રાજપૂતશેરથા ગામના સરપંચ શ્રી દીપકજી ઠાકોર સહિત વિવિધ વિભાગના અધિકારીઓપદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.