Western Times News

Gujarati News

ધનસુરામાં બે જુદા-જુદા અકસ્માતમાં બે મોત :બીલવણીયા નજીક ઇકો કાર પલ્ટી ૮ વર્ષીય બાળકનું મોત

અરવલ્લી જીલ્લામાં યમરાજાએ પડાવ નાખ્યો હોય તેમ ૧૨ કલાકમાં ત્રણ અકસ્માતમાં ૮ લોકોના અકસ્માતમાં મોત નિપજતા હાહાકાર મચ્યો હતો માલપુર નજીક ટ્રકે ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારતા મામેરું લઇ જતા ટ્રેક્ટરની ટ્રોલીમાં બેઠેલા ૬ લોકોના મોત નીપજ્યાની શાહી સુકાઈ નથી ત્યાં ધનસુરાના બીલવણીયા નજીક ઇકો કાર પલ્ટી જતા કારમાં સવાર ૮ વર્ષીય બાળકના શરીરે ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અન્ય એક અકસ્માતમાં રમોસ-સરતાનપુરા રોડ પર ટ્રેક્ટરે બાઈક ચાલકને કચડાતા મોત નિપજતા ધનસુરા પોલીસે બંને મૃતકોની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

પ્રાપ્ત માહિતી મુજબ, ધનસુરા બીલવણીયા કંપા નજીકથી પસાર થતી ઇકો કાર ના ચાલકે ગફલતભરી રીતે પુરઝડપે હંકારતા પલ્ટી જતા કારમાં સવાર અને અભ્યાસ અર્થે જઈ રહેલ શરડી ગામનો હિમેશ કાંતિભાઈ ભરવાડ (ઉં.વર્ષ-૮ ) નામના બાળકને શરીરે ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે મોત નિપજતા પરિવારજનોએ ભારે આક્રંદ કરી મૂક્યું હતું બે બહેનોએ એકનેક ભાઈ ગુમાવતા ભારે રોક્કોકળ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી ધનસુરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતક બાળકના મૃતદેહને પીએમ માટે ખસેડી વિરમ ભાઈ રણછોડભાઈ ભરવાડ ની ફરિયાદના આધારે ઇકો કાર ચાલક કમલેશ કોદરભાઈ પગી વિરુદ્ધ અકસ્માતે મોત નો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

ધનસુરાના રમોસ-સરતાનપુર રોડ પર વધુ એક અકસ્માતની ઘટના બની હતી જેમાં સ્વરાજ ટ્રેક્ટરના ચાલકે બાઈકને ધડાકાભેર ટક્કર મારતા બાઈક ચાલક બલવંતસિંહ કેશરીસિંહ પરમાર નું મોત નિપજતા ધનસુરા પોલીસે અર્જુનસિંહ માનસિંહ પરમાર ( જુના વડવાસા) ની ફરિયાદના આધારે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોત નો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.