Western Times News

Gujarati News

PNB સહિત ૧૦ બેંકોના મર્જરને કેબિનેટની મંજૂરી

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ૧૦ મોટી સરકારી બેંકો (પીએસયુ બેન્ક મર્જર)ના મર્જને મંજૂરી મળી ગઇ હતી.

મળેલી માહિતી પ્રમાણે આ અંગેની જાહેરાત પ્રેસ કોન્ફરન્સ કરીને કરવામાં આવશે. નાણા મંત્રાલય તરફથી ૩૦ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ સરકારે બેંકોના મર્જરની જાહેરાત કરી હતી. આ અંગે સરકાર હવે આ જ મહિને જાહેરનામું બહાર પાડી શકે છે. મર્જર બાદ દેશમાં ચાર મોટી બેંક બની જશે. નવી બેંક પહેલી એપ્રિલથી અÂસ્તત્વમાં આવી શકે છે. મીડિયા રિપોટ્‌ર્સ પ્રમાણે મર્જરથી બેંકનું નામ બદલાઇ શકે છે. જા કે, સરકાર તરફથી હજી સુધી નિર્મલા સીતારમણે બેંકોના મર્જરની જાહેરાત વખતે કહ્યું હતું કે આ મર્જર બાદ સરકારી બેંકોની સંખ્યા ૧૨ રહેશે. વર્ષ ૨૦૧૭માં દેશમાં સરકારી બેંકોની સંખ્યા ૨૭ હતી. આ પહેલા દેના બેંક અને વિજ્યા બેંકનું બેંક ઓફ બરોડામાં મર્જર થયું હતું.

કોનુ કઇ બેંકમાં મર્જર થશે ? પંજાબ નેશનલ બેંક (PNB)માં ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સનું મર્જર થશે. જે બાદમાં બનનારી નવી બેંક દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક બનશે. નવી બેંક પાસે આશરે ૧૭ લાખ કરોડનો બિઝનેસ હશે. કેનરા બેંક સાથે સિન્ડિકેટ બેંકનું પણ મર્જર થશે. મર્જર બાદ બનનારી બેંક દેશની ચોથી સૌથી મોટી સરકારી બેંક બની જશે. આ બેંક પાસે ૧૫.૨૦ લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ હશે.

યુનિયન બેંકનું આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંક સાથે મર્જર થશે. મર્જર પછી બનનારી આ બેંક દેશની પાંચમી સૌથી મોટી સરકારી બેંક હશે. આ બેંક પાસે ૧૪.૫૯ લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ હશે. ઇÂન્ડયન બેંક અને અલાહાબાદ બેંકના મર્જર પછી બનનારી બેંક દેશની સાતમા સૌથી મોટી સરકારી બેંક બનશે. આ બેંક પાસે ૮.૦૮ લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ હશે.

ગ્રાહકોએ શું કરવું પડશે ? બેંકોના મર્જર પછી ગ્રાહકોને નવો એકાઉન્ટ નંબર અને કસ્ટમર આઇડી મળી શકે છે. જે ગ્રાહકોને નવો એકાઉન્ટ નંબર અથવા આઇએફએસસી કોડ મળશે તેમણે પોતાની વિગતો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ, વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ, નેશનલ પેન્શન સ્કીમ વગેરે જગ્યાએ અપડેટ કરાવવી પડશે. એસઆઇપી અને ઇએમઆઇ માટે ગ્રાહકોએ નવું ઇન્સ્ટ્રક્શન ફોર્મ ભરવું પડશે. આ ઉપરાંત નવી ચેકબુક, ડેપિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ પણ ઇશ્યુ થઇ શકે છે. ફિક્સ્ડ ડિપોઝિટ અથવા રિકરિંગ ડિપોઝિટ પરના વ્યાજદર કોઇ ફેરફાર નહીં થાય. જે વ્યાજદર પર વ્હીકલ, હોમ કે પર્સનલ લોન લીધી હશે તેમાં કોઇ ફેરફારનહીં થાય. બેંકોની અમુક શાખા બંધ થઇ શકે છે. અમુક ગ્રાહકોએ નવી બ્રાંચમાં જવું પડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.